________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારનું કારણ
૨૦૫
વસ્તુની પર્યાયનું પરિણમન તારી અપેક્ષા રાખે છે? કે તે પોતે પોતાના દ્રવ્યતત્વની અપેક્ષાથી જ પરિણમે છે? એ દ્રવ્ય એના પોતાથી સ્વતંત્રપણે પરિણમનું હોવા છતાં તું એમ માને કે તેના પરિણમનમાં મારી અપેક્ષા છે–તો તારી તે માન્યતા તને જ દુઃખનું કારણ છે. તારી પરમાં એકત્વબુધ્ધિથી જ સંસાર છે. તારો જે અભિપ્રાય છે તે પ્રમાણે વસ્તુમાં તો બનતું નથી. પરનું કરવાનો તારો અભિપ્રાય અને પરિણામ તો વ્યર્થ જાય છે-નિરર્થક છેખોટાં છે અને તને જ તે બંધનું કારણ છે.
આત્મા અને પરવસ્તુઓ જુદાં છે. આત્મા પોતાના સ્વભાવનો આશ્રય છોડીને જે ઊંધી માન્યતા કરે છે તેમાં પરનો આશ્રય છે, અર્થાત્ ૫૨માં એકાકાર બુધ્ધિથી મિથ્યાત્વ થયું છે. પરંતુ તેની મિથ્યા માન્યતાનો કોઈ વિષય નથી અર્થાત્ તેની મિથ્યા માન્યતા પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી. જગતમાં પર વસ્તુઓ છે ખરી, પરંતુ અજ્ઞાનીના અભિપ્રાય મુજબ તેનું સ્વરૂપ નથી, પરની અપેક્ષા રાખે એવું વસ્તુસ્વરૂપ નથી. આમ નિરપેક્ષ વસ્તુસ્વરૂપને સમજીને પરાશ્રય છોડીને સ્વાશ્રયમાં ટકવું તે જ મુક્તિનો ઉપાય છે.
પ્રશ્ન:- ‘૫૨ને હું સુખી કરી શકું' એવી અમારી માન્યતા ભલે ખોટી હોય, પણ પ૨ને સુખી કરવાના અમારા ભાવ છે તે તો સારા છે ને ?
ઉત્તર:- તારો સ્વભાવ જેમ હોય તેમ માત્ર જાણવાનો છે, તેને બદલે, હું જાણનાર નહિ પણ પ૨નો કરનાર એવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com