________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારનું કારણ
૧૯૭ કારણ છે. “હું આત્મા જ્ઞાયક છું' એવી સ્વાશ્રયદષ્ટિ જ્યારે ન રહી ત્યારે પર વસ્તુમાં એકત્વબુધ્ધિ થઈ એટલે “પરને હું નિમિત્ત થાઉં” એમ પર વસ્તુનો આશ્રય કરે છે, પર સાથેનો સંબંધ કરે છે. “હું પરનો નિમિત્ત થનાર' એટલે કે હું જ્ઞાનભાવ નથી પણ પર તે જ હું છું” એવી અજ્ઞાનીની દષ્ટિ છે. “હું નથી ને પર છે” એવા જ અભિપ્રાયથી પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને પરનો આશ્રય કરે છે. જે રીતે સ્વભાવનું હોવાપણું છે તે રીતે પોતાના અભિપ્રાયમાં અજ્ઞાનીને બેઠું નથી એટલે પરમાં જ પોતાપણાની મિથ્યા માન્યતા તે કરે છે, એટલે તેને કોઈ પણ પરાશ્રયભાવથી જુદાપણું રહ્યું નથી, તેથી તે જીવ પરાશ્રયભાવથી બંધાય જ છે.
હું મારા જ્ઞાન સ્વભાવપણે છું ને પરાપદાર્થપણે નથી, હું જ્ઞાનભાવ છું ને પરભાવ હું નથી-આમ જેના અભિપ્રાયમાં પોતાનો સ્વભાવ બેઠો છે એવા જ્ઞાનીને ક્યાંય પણ પરાશ્રયબુદ્ધિ રહી નહિ એટલે સ્વાશ્રયભાવે તેની મુક્તિ જ છે. સ્વાશ્રયદષ્ટિ અને પરાશ્રયદષ્ટિ ઉપર જ મુક્તિ ને બંધનનો આધાર છે. સ્વભાવમાં પરાશ્રયે થતી કોઈ પણ વૃત્તિઓ નથી. તેથી જેને સ્વભાવદષ્ટિ થઈ તેને કોઈ પણ પરાશ્રય કરવાનો ન રહ્યો એટલે કે સંસાર જ ન રહ્યો. અજ્ઞાનીને સ્વભાવદષ્ટિ નથી એટલે “પરમાં જ હું છું હું નથી પણ પર તે જ હું છું.” એમ તે સ્વને ઉડાડે છે. પોતાનું જે સ્વતંત્ર અસ્તિત્વ છે તે ભાસતું નથી પણ પરનું અસ્તિત્વ ભાસે છે એટલે પરમાં “આ જ હું” એમ પરાશ્રયમાં એકત્વબુદ્ધિ કરે છે. અજ્ઞાનીને “હું નથી, આ (પર) છે, તેનું હું કરું, તેનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com