________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
મૂળમાં ભૂલ હું નિમિત્ત થઉં' એવા પ્રકારની પરાશ્રદષ્ટિ છે, પણ સ્વભાવનો આશ્રય નથી, તેથી તેને બંધન જ છે-સંસાર જ છે.
જ્ઞાનીને પોતાના નિરપેક્ષ સ્વભાવની એકત્વબુદ્ધિ પ્રગટી છે અને પરમાં એકત્વબુદ્ધિ નાશ પામી છે. તેથી તેઓ એક સ્વાશ્રિત જ્ઞાનભાવે જ રહે છે, તેમની દષ્ટિમાં પરાશ્રિતભાવનો અભાવ છે. અને અજ્ઞાનીની દષ્ટિમાં સ્વનો જ અભાવ છે, એટલે તેને કોઈ પણ પ્રકારે પરાશ્રયભાવ જ છે. પરનો હું કર્તા નથી એમ માને પણ પરનો હું નિમિત્ત થાઉં છું-એમ માનીને તે પરાશ્રયદષ્ટિ છોડતો નથી. બધી વસ્તુઓનું પરિણમન સ્વતંત્ર છે, કોઈ પણ વસ્તુનું પરિણમન તારા પરિણામોની અપેક્ષા રાખતું નથી, છતાં પણ “મારા પરિણામો પર વસ્તુને નિમિત્ત થાય એવી એકત્વબુધ્ધિ તે જ અનંત જન્મ-મરણનું કારણ છે, પરમાં નિમિત્ત થવાની દૃષ્ટિ છે તે જ પરાશ્રયદષ્ટિ છે.
મિથ્યાદષ્ટિને પરમાં એકપણાનો અધ્યવસાય છે કે “હું પરને સુખી-દુઃખી કરું ને પર મને સુખી-દુઃખી કરે ઇત્યાદિ.' પર સાથેના સંબંધની અજ્ઞાનીની આ માન્યતા જ સંસાર છે, તે જ અધર્મ છે, ને તે જ બંધન છે. જ્ઞાનીને સ્વાશ્રિતદષ્ટિ થતાં પર સાથેના સંબંધની માન્યતા છૂટી ગઈ છે, ને વિકાર સાથેના સંબંધનો અભિપ્રાય ટળી ગયો છે, તેને સંસાર નથી, બંધન નથી, અધર્મ નથી. જ્ઞાનીને જે અલ્પ રાગાદિ છે તેનો નિષેધ વર્તતો હોવાથી ખરેખર તેને બંધન નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com