________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૧૯૬
કરીને સ્વભાવના લક્ષે નિશ્ચય પ્રગટ કર્યો ત્યારે રાગને ઉપચારથી વ્યવહાર કહ્યો અથવા તો સ્વભાવના આશ્રયરૂપ શુદ્ધ ઉપાદાન પ્રગટયું ત્યારે રાગાદિને નિમિત્ત તરીકે જાણ્યા પણ કોઈ એમ માને કે હું આ રાગ કરું છું તે મને વીતરાગતાનું નિમિત્ત થશે- તો તે મિથ્યાદષ્ટિ છે, કેમ કે તેના અભિપ્રાયમાં રાગનો આશ્રય છે પણ સ્વભાવનો આશ્રય નથી. તેવી જ રીતે કોઈ એમ માને કે હું જે વ્યવહાર કરું છું. તે મને નિશ્ચય શ્રદ્ધા જ્ઞાન પ્રગટવાનું કારણ થશે–તો તે પણ વ્યવહારના આશ્રયમાં અટકેલો મિથ્યાદષ્ટિ છે. રાગનો આશ્રય છોડે ત્યારે તેને વ્યવહારનો આરોપ આવે છે, રાગાદિનું લક્ષ છોડીને ઉપાદાન પ્રગટ કરે ત્યારે તેને નિમિત્તપણાનો આરોપ આવે છે. પણ જે રાગ અને નિમિત્તના આશ્રયમાં જ અટકયો છે તેને તો ઉપચાર પણ હોતો નથી.
પરનું કાર્ય-જીવન, મરણ, સુખ, દુ:ખ, ઇત્યાદિ–થતાં પોતાને નિમિત્તનો આરોપ આવે છે. પણ ‘હું પરજીવોને સુખદુઃખમાં નિમિત્ત થાઉં' એમ જેનું જો૨ ૫૨ તરફ જાય છે તે જીવ મિથ્યાદષ્ટિ છે, તે પર દ્રવ્યની ક્રિયાનો નિશ્ચય ભૂલી જાય છે. ૫૨માં ક્રમબદ્ધ અવસ્થા સ્વયં થાય છે, તેને બીજાની અપેક્ષા નથી, એ તેનો નિશ્ચય છે અને તે નિશ્ચયના જ્ઞાન સહિત તે પદાર્થના નિમિત્તનું જ્ઞાન કરવું તે વ્યવહાર છે.
૫૨ વસ્તુ બંધનનું કારણ નથી પરંતુ જીવ પોતે સ્વાશ્રય છોડીને ૫૨ વસ્તુના આશ્રયે એકત્વબુધ્ધિ કરે છે તે જ બંધનનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com