________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજ્ઞાનીને શું ખબરપડે?
૧૮૫ છે. “હું પરદ્રવ્યના કર્તુત્વ રહિત, પરથી ભિન્ન જ્ઞાયક સ્વરૂપ સ્વતંત્ર દ્રવ્ય છું” એમ જેને પોતાની સ્વતંત્રતા બેસતી નથી તે બીજા દ્રવ્યોને પણ સ્વતંત્ર માનતો નથી, અને જ્યાં દ્રવ્યને સ્વતંત્ર માનતો તેથી પરદ્રવ્યનું હું કરું અને પરદ્રવ્ય મારું કરે એમ તે દ્રવ્યને પરાધીન માને છે, અને જે જીવને પોતાની સ્વતંત્રતા બેસી છે તે અન્ય દ્રવ્યોને પણ સ્વતંત્ર જાણે છે. તેથી તે પોતાને પરનો કર્તા માનતો નથી. એટલે અનંતા પરપદાર્થનો અહંકાર ટળી જતાં પોતાના સ્વભાવની અનંતી દઢતા થઈ—એ જ ધર્મ છે. અને એ જ સ્વાધીનતાનો પંથ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com