________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
મૂળમાં ભૂલ અને તેનું પરિણામ એટલે કે વસ્તુ અને વસ્તુની અવસ્થા એ બન્ને જુદાં હોય નહિ–એવું વસ્તુસ્વરૂપ છે; છતાં જે જીવ પરદ્રવ્યનાં પરિણામ હું કરી શકું એમ માને છે તે વસ્તુસ્વરૂપનુંવિશ્વધર્મનું ખૂન કરે છે. (વસ્તુસ્વરૂપ તો જેમ છે તેમ જ છે, વસ્તુસ્વરૂપ અન્યથા થતું નથી, માત્ર અજ્ઞાની પોતાના ભાવમાં ઊંધું માને છે, એ ઊંધી માન્યતા જ સંસારનું કારણ છે.)
પરિણામી અને પરિણામ અભેદ હોય છે, પરિણામ એક દ્રવ્યમાં થાય અને તેને પરિણમાવનાર બીજ દ્રવ્ય હોય એમ કદીપણ બને જ નહિ. એક દ્રવ્યનાં પરિણામ બીજા દ્રવ્યના પરિણામમાં કાંઈ અસર કે મદદ કરી શકતાં નથી. જીવને દાનાદિના શુભભાવ થાય તેને લઈને બીજાનું હિત થઈ જાય અગર હિંસાદિના અશુભભાવ આવે તેને લઈને બીજાનું અહિત થઈ જાય-એમ નથી, કેમ કે જીવના પરિણામનું ફળ તેનામાં, છે પરમાં નથી, અને પરદ્રવ્યની અવસ્થા તેનામાં છે-આમ હોવાથી હું મારી અવસ્થા કરું, પરદ્રવ્ય તેની અવસ્થા કરે, હું પરનું ન કરું, પર મારું ન કરે એવી પ્રથમ માન્યતા કરે તો જીવની અનંતી શાંતિ પ્રગટે અને અનંતા રાગ-દ્વેષ ટળી જાય. આ માન્યતા એ જ સૌથી પ્રથમ ધર્મ છે. આ માન્યતા કરવામાં અનંતા પર પદાર્થનો અહંકાર ટાળવાનો અનંત પુરુષાર્થ આવે છે. “હું શુદ્ધ જ્ઞાયક સ્વરૂપી આત્મા છું, જ્ઞાન સિવાય પરદ્રવ્યનું કિંચિત્ હું ન કરી શકું-” એમ જ્યાં સુધી સમ્યક માન્યતા ન થાય ત્યાં સુધી આત્માની સમ્યજ્ઞાનરૂપી કળા ઊઘડે નહિ. સમ્યજ્ઞાન કળા તે જ ધર્મ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com