________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજ્ઞાનીને શું ખબરપડે ?
૧૮૩ કોઈ તત્ત્વને કોઈ તત્ત્વનો આધાર નથી” એમ દરેક પદાર્થોની સ્વતંત્રતા માનવી તેમાં ત્રિકાળી સત્નો સ્વીકાર છે. સ્વતંત્ર સત્ સ્વરૂપનો આદર છે એ જ ધર્મ છે.
પ્રશ્ન:- આત્મા તો અનંત શક્તિવાળો છે, તે પરનું કાંઈ જ ન કરી શકે એવો નમાલો નથી. જો પરનું કાંઈ ન કરી શકે તો આત્માને અનંત શક્તિવાળો કેમ કહેવાય?
ઉત્તર-આત્મા અનંત શક્તિવાળો છે એ વાત સાચી, પણ આત્માની અનંત શક્તિ આત્મામાં છે, પરમાં આત્માની શક્તિ હોય નહિ. આત્મા ચેતન પદાર્થ છે, અને જ્ઞાન, દર્શન, આનંદ, પુરુષાર્થ વગેરે અનંત ચૈતન્ય શક્તિ તેનામાં છે, પરંતુ તે શક્તિથી આત્મા પરનું કાંઈ કરી શકતો નથી. પરનું કાંઈ કરવા માટે તો આત્મા તદ્દન શક્તિ રહિત છે અર્થાત્ આત્માની પરદ્રવ્યપણે નાસ્તિ છે તેથી તે પરમાં કાંઈ કરી શકે જ નહિ. પરદ્રવ્ય સ્વતંત્ર છે, તેમાં આત્માની શક્તિ જઈ કે ચાલી શકે નહિ; આત્માની અનંત શક્તિ આત્મામાં ચાલે છે. આત્માની પોતા માટે એવી અનંત શક્તિ છે કે પોતાના સવળા ભાવે ક્ષણમાં કેવળજ્ઞાન લ્ય અને પોતાના ઊંધા ભાવે ક્ષણમાં સાતમી નરકે જાય, એવી આત્માની અનંત શક્તિ આત્મામાં કાર્ય કરી શકે છે, પરમાં કિંચિત્ પણ કાર્ય કરી શકે નહિ.
દરેક તત્ત્વ પોતપોતાના પરિણામનું ધારક છે અર્થાત દરેક વસ્તુ પોતે જ પોતાની અવસ્થાને ધારણ કરે છે. વસ્તુ તે પરિણામી છે અને અવસ્થા તે તેનું પરિણામ છે, પરિણામી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com