________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ર
મૂળમાં ભૂલ નથી. આત્મા અને હાથ બને જુદા પદાર્થો છે. આત્મા હાથનું કાંઈ કરી શકે નહિ. આત્મા હાથનું કરી શકે એમ માનવું તે ચામડાને પોતાનું માનવારૂપ ચોરી છે--હિંસા છે-મહાન પાપ છે.
(૧) એક આત્મા બીજા આત્માનું કાંઈ કરી શકે અથવા (૨) એક આત્મા જડનું કાંઈ કરી શકે અથવા (૩) એક પુદ્ગલ બીજા પુદ્ગલનું કાંઈ કરી શકે અથવા
(૪) એક પુદ્ગલ આત્માનું કાંઈ કરી શકે એમ માનવું તે મહાન હિંસા છે, તેના જેવું મહાન પાપ જગતમાં બીજું કોઈ નથી, એ હિંસાનું ફળ જન્મ-મરણની જેલ છે.
જે જીવ, એક પણ પરદ્રવ્યનું આત્મા કાંઈ કરી શકે એમ માને છે તે એવા એવા અનંતા પરદ્રવ્યો છે તેનું પણ આત્મા કરી શકે એવા અનંત પરદ્રવ્યોના કર્તુત્વના મહા અહંકારરૂપ ઊંધી માન્યતામાં આવ્યો અને જેમ પોતે પરદ્રવ્યનું કરી શકે છે તેમ પદ્રવ્ય પોતાનું કરી શકે એમ પણ તે ઊંધી માન્યતામાં આવ્યું એટલે પોતાને નમાલો પરદ્રવ્યોને આધીન માન્યો, આ રીતે બન્ને તત્ત્વોને પરાધીન માન્યા છે તે જ તત્ત્વની હિંસા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકે એમ માનવું તેમાં પોતાના જ સ્વાધીન
સ્વરૂપની હિંસા છે, અને પરાધીનપણાની ઊંધી માન્યતાનું ત્રિકાળી પાપ તે એક સમયની માન્યતામાં છે; તથા “પદ્રવ્યનું હું કાંઈ જ ન કરી શકું, પરદ્રવ્યનું મારું કાંઈ ન કરી શકે, દરેક તત્ત્વો સ્વતંત્ર સ્વાધીનના પરિપૂર્ણ છે, સત્ સ્વરૂપ છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com