________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
મૂળમાં ભૂલ દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી થતું હોય! જો કોઈ પણ દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી થતું હોય તો જીવમાંથી જડ અને જડમાંથી જીવ થઈ જવાનો પ્રસંગ આવી પડશે; પરંતુ કાર્ય અને કારણ એક જ દ્રવ્યમાં હોય એ સિદ્ધાંતથી દરેક દ્રવ્યનું કાર્ય તે દ્રવ્યના કારણથી જ સ્વતંત્રપણે થાય છે, તેથી ઉપર્યુક્ત દોષ આવતો નથી. આમાં દરેક કાર્ય થવામાં ઉપાદાન-નિમિત્તનો ખુલાસો આવી જાય છે.
હવે ઉપર પ્રમાણે વસ્તુસ્વરૂપ હોવાથી-આત્મદ્રવ્યનું કાર્યઅવસ્થા તો આત્માના જ અંતરંગકારણથી ઉત્પન્ન થાય છે, અને આત્મદ્રવ્યમાં તો વીતરાગભાવ જ પ્રગટવાની શક્તિ છે. વીતરાગતા-શુદ્ધતારૂપી કાર્ય ઉત્પન્ન થાય એવી જ દ્રવ્યની અંતરંગ શક્તિ છે.
પ્રશ્ન- જો દ્રવ્યની અંતરંગ શક્તિમાં તો વીતરાગતા અને શુદ્ધતા જ પ્રગટવાની શક્તિ છે તો પછી પર્યાયરૂપી કાર્યમાં અશુદ્ધતા કેમ છે?
ઉત્તર- પર્યાયમાં જે અશુદ્ધતા છે તે, તે પર્યાયની વર્તમાન યોગ્યતા છે. આત્મા અરૂપી જ્ઞાનઘન સ્વભાવ-કે જે અંતરંગકારણ છે-તેમાંથી તો ગમે તેવાં બહારનાં નિમિત્ત હોય કે ગમે તેવા સંયોગ હોય તોપણ જ્ઞાન અને વીતરાગતા જ આવે છે, છતાં પર્યાયમાં જે વિકાર-અશુદ્ધતા છે તે પર્યાય અંતરંગ કારણે છે. વિકારનું અંતરંગકારણ એક સમય પૂરતી પર્યાય છે તેથી વિકારરૂપી કાર્ય પણ એક જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com