________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજ્ઞાનની ખબર શું પડે?
૧૭૩
૧૭૩
અજ્ઞાનીને ખબર શું પડે?
દરેક વસ્તુનું કાર્ય અંતરંગકારણથી થાય છે; બહારના કારણથી કોઈ કાર્ય થતું નથી. જો બહારના કારણથી કાર્ય થતું હોય તો ચોખાના બીમાંથી ઘઉં અને ઘઉંના બીમાંથી ચોખા થવાનો પ્રસંગ આવશે, એમ થતાં વસ્તુનો કોઈ નિયમ રહેતો નથી-માટે કહ્યું છે કે
“कहीं पर भी अंतरंगकारणसे ही कार्यकी उत्पत्ति होती હૈ
એટલે કે બધી વસ્તુઓનાં કાર્યની ઉત્પત્તિ અંતરંગ કારણથી જ [ વસ્તુની પોતાની શક્તિથી જ] થાય છે-એ નિયમ છે. આમાં અનેક પ્રશ્નોના સમાધાન આવી જાય છે.
અંતરંગકારણ = દ્રવ્યની શક્તિ, ઉપાદાનકારણ. બહિરંગકારણ = પર દ્રવ્યની હાજરી, નિમિત્તકારણ.
કોઈ કાર્યો બાહ્ય પદાર્થોના કારણથી ઉત્પન્ન થતાં નથી એ નિશ્ચય છે. જો બહારના કારણે કાર્યની ઉત્પત્તિ થતી હોય તો ચોખામાંથી ઘઉં થવા જોઈએ- પણ તેમ કયાંય થતું નથી; માટે કોઈ દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યના કારણથી ઉત્પન્ન થતું નથી પણ તે દ્રવ્યની પોતાની શક્તિથી જ થાય છે.
ત્રણકાળ-ત્રણલોકમાં એવું કોઈ દ્રવ્ય નથી કે જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com