________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર
મૂળમાં ભૂલ ભંગીઆ જમી ગયા કે નહિ' એમ ભંગીઆને યાદ કરે પણ ભાઈઓ જમી ગયા કે નહિ તે યાદ ન કરે એ કેવું? ભાઈઓને ભૂલીને ભંગીઆને યાદ કરે છે તે મૂર્ખાઈ જ છે, તેમ અનંત ગુણનો પિંડ જે બંધુરૂપે સદાય સાથે રહેનાર છે તેવા ચૈતન્ય ભગવાનને જે સંભારતો નથી, તેની ઓળખાણ કરતો નથી અને એક સમય પૂરતા કર્મની સાથે જેણે ઓળખાણ માંડી છે તે બધાં મૂર્ખ જ છે, અજ્ઞાની છે, તેઓ મુક્તિ પામતા નથી.
તને જે નિમિત્તનું જ્ઞાન બતાવ્યું તે નિમિત્ત (કર્મનું) તારા ઉપર જોર બતાવવા કહ્યું નથી, પણ તે નિમિત્ત આધીન થતો વિકાર તારું સ્વરૂપ નથી એમ કહીને તારો પુરુષાર્થ ઉપાડવા તને કહ્યું હતું, ત્યાં નિમિત્તને વળગી બેઠો માટે તે નિમિત્ત કર્મની દૃષ્ટિ છોડ! અને સ્વભાવ તરફ દષ્ટિ કર ! ભગવાનનો ઉપદેશ ધર્મની વૃદ્ધિ માટે છે તેમ ન લેતાં ઊંધું માને તો તેને વીતરાગની વાણીના નિમિત્તનું પણ ભાન નથી. “સવી જીવ કરું શાસન રસી” એવા શુભભાવે બંધાએલ તીર્થંકર નામકર્મનો ઉદય થતાં વીતરાગની ધ્વનિ નીકળે છે તે સ્વભાવ-ધર્મની વૃદ્ધિ માટે છે; તે ધ્વનિ કહે છે કે “જાગ ! જાગ ! તારી મુક્તિ અલ્પકાળમાં જ છે, તારો સ્વભાવ પરિપૂર્ણ પુરુષાર્થથી ભરેલો છે; ' આ રીતે નિમિત્તઉપાદાનની સંધિ તૂટતી નથી તે માટે તો ઉપદેશ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com