________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપદેશમાં નિમિત્તનું જ્ઞાન
૧૭૧
ઉપદેશમાં નિમિત્તનું જ્ઞાન
કયાં ચૈતન્ય ભગવાન આત્માનો સ્વભાવ! અને કયાં જડ કર્મનો સ્વભાવ ! આત્માના સ્વભાવના સામર્થ્યનું જ્ઞાન ન કરે અને માત્ર જડ કર્મને માને તો બંધનો નાશ કોના જોરે કરશે? જેને કર્મ પ્રકૃતિનું લક્ષ છે તેને સ્વભાવની પ્રતીત નથી, જ્યારે અંદરના સ્વભાવની પ્રતીત થઈ અને નિમિત્તનો નકાર થયો (અવલંબન છૂટયું) ત્યાં ભવનો અભાવ જ છે, પણ માત્ર નિમિત્તનું લક્ષ કરે અને ઉપાદાનને ન જાણે તો મુક્તિ થાય નહીં અને જો ઉપાદાનનું લક્ષ કરે તો ચૈતન્ય શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા તેનું જ જ્ઞાન અને તેમાં સ્થિરતા કરવાથી બંધન નાશ અવશ્ય થાય છે. માત્ર બંધને જાણવાથી કે તેનો વિચાર કર્યા કરવાથી બંધન કપાતું નથી.
x x x બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધનથી છૂટવાનું કારણ નથી, પણ બંધનમુક્ત થવાના પૂર્ણ સામર્થ્યની દૃષ્ટિના જોરે પુરુષાર્થ તે જ બંધનથી મુક્તિનું કારણ છે. * * નિકાચિત કર્મ પણ જડ છે, તે આત્માના પુરુષાર્થને રોકે નહીં, જે વીર્ય ઊંધુ થઈને કર્મ બાંધ્યું, તે જ વીર્ય સવળું થાય તો તે કર્મને ક્ષણમાત્રમાં તોડી નાખે. કર્મ લાંબા કે તું? કોની સ્થિતિ વધારે ? પ્રભુ! બધી શક્તિ તારી પાસે જ ભરી છે, પણ અનાદિથી તે પરની વાત માંડી છે તેથી સ્વાશ્રયની પ્રતીતિ નથી. ઘરે લગ્ન
વખતે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com