________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭)
મૂળમાં ભૂલ આવી, આમ વાતમાં ગુલાંટ છે. ( તાળા કૂંચીની જેમ) નિમિત્ત દ્વારા જ્ઞાનની પર્યાય ખીલી નથી, પણ અંદર ત્રિકાળી સામર્થ્ય પડ્યું છે તેમાંથી તે સામાન્યનું વિશેષ પ્રગટયું છે. જ્ઞાનની પર્યાય અદ્ધરથી આવી નથી પણ અંદર જે ત્રિકાળી શક્તિ પડી છે તેના આધારે આવી છે. અંદરની શક્તિ પડી છે તેની પ્રતીત નથી તેથી બહારના નિમિત્તથી જ્ઞાનની પર્યાય આવી એમ અજ્ઞાની માને છે.
ફૂલબરણીમાંથી જે તણખા ઝરે છે તે ફૂલખરણીમાં જ સામર્થ્યરૂપે હતા તે પ્રગટયા છે, તેમ આત્મામાં એવો પાવર ભર્યો છે કે તેમાં એકાગ્રતારૂપી ચિનગારી મૂકે તો ફટ ફટ નિર્મળ પર્યાયના તણખા ફાટે!
જ્ઞાન વર્તમાન અવસ્થામાં ઉણપ વખતે પણ શક્તિમાં પૂરું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com