________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા
૧૬૫
ત્યાં જો કે ઉપાદાનમાં (જીવમાં ) ધર્મરૂપી કાર્ય થયું નથી તેથી ખરેખર તેને માટે તે પદાર્થો ધર્મનાં નિમિત્ત નથી. પરંતુ જે જીવો ધર્મ પ્રગટ કરે છે તે જીવોને એવાં પ્રકારનાં નિમિત્તો જ હોય છે એવું જ્ઞાન કરાવવા માટે કાર્ય ન થયું હોવા છતાં સ્થૂળદષ્ટિએ તેને નિમિત્ત કહેવામાં આવે છે.
૫૯. અનુકૂળ નિમિત્ત
ઊકળતા તેલમાં હાથ દાઝયો ત્યાં હાથને દાઝવા માટે ઊકળતું તેલ અનુકૂળ નિમિત્ત છે; ઘડો ફૂટવામાં ધોકો વગેરે અનુકૂળ નિમિત્ત છે. અમુક પદાર્થને અનુકૂળ નિમિત્ત કહ્યું તેથી તે સિવાયના બીજા પદાર્થો પ્રતિકૂળ છે-એમ ન સમજવું. એકદ્રવ્ય બીજા દ્રવ્યને અનુકૂળ કે પ્રતિકૂળ તો છે જ નહિ. નિમિત્તને અનુકૂળ કહેવાનો અર્થ એટલો જ છે કે-તે પદાર્થ કાર્ય થતી વખતે સદ્ભાવરૂપ હોય છે અને વ્યવહારદષ્ટિએ અનુકૂળતાનો આરોપ
તેના ઉપર આવી શકે છે.
૬૦. બે પર્યાયોની લાયકાત એક સાથે ન હોય
એક સમયમાં બે લાયકાત હોતી જ નથી, કેમકે જે સમયે જેવી લાયકાત છે તેવી પર્યાય પ્રગટ હોય છે, અને તે જ વખતે જો બીજી લાયકાત પણ હોય તો એક સાથે બે પર્યાય થઈ જાય. પરંતુ એમ કદી બની શકે નહિ જે સમયે જે પર્યાય પ્રગટ હોય છે તે સમયે બીજી પર્યાયની લાયકાત હોતી જ નથી. લોટરૂપ અવસ્થાની લાયકાત વખતે રોટલીરૂપ અવસ્થાની લાયકાત જ હોતી નથી તો પછી નિમિત્ત ન મળ્યા માટે રોટલી ન થઈ-એ વાતને અવકાશ ક્યાં છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com