________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
મૂળમાં ભૂલ માટે કોઈ અકસ્માત છે જ નહિ. આવી નિઃશંક શ્રદ્ધાને લીધે સમ્યગ્દષ્ટિને અકસ્માતભય હોતો નથી. વસ્તુની પર્યાયો ક્રમસર જ થાય છે એની અજ્ઞાનીને પ્રતીતિ નથી તેથી તેને અકસ્માત લાગે છે. ૫૮. નિમિત્ત કોનું? અને ક્યારે?
જો નિમિત્તનું યથાર્થ સ્વરૂપ સમજે તો નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે એ માન્યતા ટળી જાય. કેમ કે જ્યારે કાર્ય થયું ત્યારે તો પરને તેનું નિમિત્ત કહેવાયું છે, કાર્ય થયા પહેલાં તો તેનું નિમિત્ત કોઈને કહેવાતું નથી. જે કાર્ય થઈ ગયું છે તેમાં નિમિત્ત શું કરે? અને કાર્ય થયા પહેલાં નિમિત્ત કોનું? કુંભાર કોનું નિમિત્ત છે? જે ઘડારૂપી કાર્ય થાય તો કુંભાર તેનું નિમિત્ત છે, પણ જો ઘડારૂપી કાર્ય જ ન થાય તો કુંભાર તેનું નિમિત્ત નથી. ઘડો થયા પહેલાં તો કોઈને “ઘડાનું નિમિત્ત” કહી શકાય જ નહિ. અને જો ઘડો થાય ત્યારે જ કુંભારને નિમિત્ત કહેવાય છે, તો પછી કુંભારે ઘડામાં કાંઈ પણ કર્યું એ વાત સ્વયમેવ અસત્ ઠરે છે.
પ્રશ્ન- ઉપાદાનમાં કાર્ય ન થાય તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાતું નથી એમ ઉપર કહ્યું પરંતુ “આ જીવને અનંતવાર ધર્મના નિમિત્તો મળ્યાં છતાં જીવ પોતે ધર્મ સમજ્યો નહિ” એમ કહેવાય છે, અને તેમાં જીવને ધર્મરૂપી કાર્ય થયું નથી છતાં પદ્રવ્યોને ધર્મનાં નિમિત્ત તો કહ્યાં છે?
ઉત્તર:- “આ જીવને અનંતવાર ધર્મનાં નિમિત્તો મળ્યાં પણ પોતે ધર્મ સમજ્યો નહિ' એમ કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com