________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા
૧૬૩ અંતરના નિર્ણયમાં ફેર પડી જાય. અજ્ઞાની જીવ નિયતવાદની વાતો કરે છે પણ જ્ઞાન અને પુરુષાર્થને સ્વભાવ તરફ વાળીને નિર્ણય કરતો નથી. નિયતવાદનો નિર્ણય કરવામાં જે જ્ઞાન અને પુરુષાર્થ આવે છે તેને જો જીવ ઓળખે તો સ્વભાવ આશ્રિત વીતરાગભાવ પ્રગટે, ને પરથી ઉદાસ થઈ જાય, કેમકે સમ્યનિયતવાદનો નિર્ણય કર્યો એટલે પોતે બધાનો માત્ર જ્ઞાનભાવે જાણનાર દેખનાર રહ્યો, પણ પરનો કે રાગનો કર્તા ન થયો.
સ્વ-ચતુષ્ટયમાં પર-ચતુષ્ટયની નાતિ જ છે તો પછી તેમાં પર શું કરે? ઉપાદાન-નિમિત્તનો યથાર્થ નિર્ણય કરે તો તેમાં સમ્પનિયતવાદનો પણ યથાર્થ નિર્ણય આવી જાય છે, કર્તુત્વભાવ ઉડી જાય છે, અને વીતરાગી દષ્ટિપૂર્વક વીતરાગી સ્થિરતાની શરૂઆત થઈ જાય છે. અજ્ઞાનીઓ આ નિયતવાદને એકાંતવાદ ને ગૃહીત મિથ્યાત્વ કહે છે પણ જ્ઞાનીઓ કહે છે કે આ સમ્યનિયતવાદ તે જ અનેકાંતવાદ છે ને તેના નિર્ણયમાં જૈનદર્શનનો સાર આવી જાય છે, ને તે કેવળજ્ઞાનનું કારણ છે.
૫૭. કાંઈ અકસ્માત છે જ નહિ.
પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને અકસ્માતભય હોતો નથી એનું શું કારણ ?
ઉત્તર- કેમ કે સમ્યગ્દષ્ટિને યથાર્થ નિયતવાદનો નિર્ણય છે કે જગતના બધા પદાર્થોની અવસ્થા તેની લાયકાત પ્રમાણે જ થાય છે ન થવાનું હોય એવું કાંઈ નવું બનતું જ નથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com