________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
ઉત્ત૨:- ત્યાં સવસ્ત્રમુક્તિ થવાની વાત નથી. ચારિત્રદશાનું સ્વરૂપ જ એવું છે કે ત્યાં વસ્ત્ર સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય જ નહિ. તેથી ચારિત્રદશામાં વસ્ત્રનો ત્યાગ સહજપણે હોય છે, વસ્ત્રનો ત્યાગ તે પરમાણુની અવસ્થાની લાયકાત છે, તેનો કર્તા આત્મા નથી.
૧૬૨
પ્રશ્ન:- કોઈ મુનિરાજના શરીર ઉપર કોઈ જીવ વસ્ત્ર નાખી જાય તો તે વખતે તેમના ચારિત્રનું શું થાય ?
ઉત્તર:- કોઈ બીજો જીવ વસ્ત્ર નાખી જાય તેથી મુનિના ચારિત્રને બાધા નથી, કેમકે તે વસ્ત્ર સાથે તેમના ચારિત્રનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી પરંતુ ત્યાં તો વસ્ત્ર જ્ઞાનનું શેય છે, એટલે કે શૈયજ્ઞાયકપણાનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ૫૬. સમ્યનિયતવાદ શું છે ?
વસ્તુની પર્યાય ક્રમબદ્ધ જે સમયે જે થવાની હોય તે જ થાય—એવો સમ્યનિયતવાદ તે જૈનદર્શનનો વાસ્તવિક સ્વભાવ છે– એ જ વસ્તુસ્વભાવ છે. ‘નિયત ’શબ્દ તો શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે આવે છે. પણ અત્યારે તો શાસ્ત્રો ભણેલા પણ આ સમ્યનિયતવાદની વાત સાંભળીને ગોથાં ખાય છે, આનો નિર્ણય કરવો કઠણ પડે છે તેથી કોઈ · એકાંતવાદ' કહીને ઉડાડે છે. નિયત એટલે નિશ્ચિત-નિયમબદ્ધ, તે એકાંતવાદ નથી પણ વસ્તુનો યથાર્થ સ્વભાવ છે' –તે જ અનેકાંતવાદ છે. સમ્યફનિયતવાદનો નિર્ણય કરતી વખતે બહારમાં રાજપાટનો સંયોગ હોય તે છૂટી જ જવો જોઈએ–એવો નિયમ નથી, પણ તેના પ્રત્યે યથાર્થ ઉદાસ ભાવ તો અવશ્ય થઈ જાય છે. બહારના સંયોગમાં તો ફેર પડે કે ન પડે, પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com