________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬)
મૂળમાં ભૂલ કલ્યાણ થાય નહિ. આવો જ વસ્તુસ્વભાવ કેવળજ્ઞાનીઓએ જોયો છે અને સંત મુનિઓએ કહ્યો છે. જીવને કલ્યાણ કરવું હોય તો આ સમજવું પડશે. ૫૩. સમર્થ કારણની વ્યાખ્યા.
પ્રશ્ન- સમર્થ કારણ કોને કહે છે?
ઉત્તર - જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે ઉપાદાન અને નિમિત્ત બન્ને સાથે હોય છે તેથી તે બન્નેને એક સાથે સમર્થ કારણ કહેવાય છે, અને ત્યાં પ્રતિપક્ષી કારણોનો અભાવ હોય જ છે. આથી એમ ન સમજવું કે ઉપાદાનના કાર્યમાં નિમિત્ત કાંઈ કરે છે. જ્યારે ઉપાદાનની લાયકાત હોય ત્યારે નિમિત્ત હોય જ છે.
પ્રશ્ન- સમર્થ કારણ તે દ્રવ્ય, ગુણ કે પર્યાય?
ઉત્તર- વર્તમાન પર્યાય જ સમર્થ કારણ છે. પૂર્વ પર્યાયને વર્તમાન પર્યાયનું ઉપાદાનકારણ કહેવું તે વ્યવહાર છે. નિશ્ચયથી તો વર્તમાન પર્યાય પોતે જ કારણકાર્ય છે. અને એથી પણ આગળ વધીને કહીએ તો એક પદાર્થમાં કારણ ને કાર્ય એવા બે ભેદ પાડવા તે પણ વ્યવહાર છે. ખરેખર તો દરેક સમયની પર્યાય અહેતુક છે. ૫૪. ઉપાદાનકારણની વ્યાખ્યા
પ્રશ્ન-માટીને ઘડાનું ઉપાદાનકરણ કહેવાય છે તે બરાબર છે?
ઉત્તર- ખરેખર ઘડાનું ઉપાદાનકારણ માટી નથી, પણ જે સમયે ઘડો થાય છે તે સમયની અવસ્થા જ પોતે ઉપાદાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com