________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૯
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા નિમિત્તના રસ્તે ઉપાદાનનું કાર્ય કદી થતું નથી પણ ઉપાદાનની યોગ્યતાથી જ (ઉપાદાનના રસ્તે જ) તેનું કાર્ય થાય છે. ૫૧. જિનશાસન નિમિત્તની ઉપેક્ષા કરવાનું કહે છે.
નિમિત્તની ઉપેક્ષા ન કરવી એટલે કે પરદ્રવ્ય સાથેનો સંબંધ ન તોડવો એ વાત જૈનશાસનથી વિરુદ્ધ છે. જૈનશાસનનું પ્રયોજન પર સાથે સંબંધ કરાવવાનું નથી પણ પર સાથેનો સંબંધ છોડાવીને વીતરાગભાવ કરાવવાનું છે. બધા સશાસ્ત્રનું તાત્પર્ય વીતરાગભાગ છે અને તે વીતરાગભાવ સ્વભાવના લક્ષે બધા પરપદાર્થોથી ઉદાસીનતા કરવાથી જ થાય છે. કોઈ પણ પર લક્ષમાં અટકવું તે શાસ્ત્રનું પ્રયોજન નથી, કેમકે પરના લક્ષે રાગ થાય છે. નિમિત્ત પણ પરદ્રવ્ય જ છે; તેથી નિમિત્તની અપેક્ષા છોડીને અર્થાત્ તેની ઉપેક્ષા કરીને પોતાના સ્વભાવની અપેક્ષા કરવી તે જ પ્રયોજન છે. નિમિત્તની ઉપેક્ષા કરવા જેવી નથી એટલે કે “નિમિત્તનું લક્ષ છોડવા જેવું નથી' એવો અભિપ્રાય તે તો મિથ્યાત્વ છે, અને એ મિથ્યા અભિપ્રાય છોડ્યા પછી પણ અસ્થિરતાને કારણે નિમિત્ત ઉપર લક્ષ જાય તે રાગનું કારણ છે. માટે પોતાના સ્વભાવના આશ્રયે નિમિત્ત વગેરે પરદ્રવ્યોની ઉપેક્ષા કરવી તે યથાર્થ છે. પર. મુમુક્ષુ જીવોએ આ વાત સમજવી જોઈએ.
ઉપાદાન-નિમિત્ત સંબંધી આ વાત ખાસ પ્રયોજનભૂત છે, આ સમજ્યા વગર કદી પણ જીવને બે દ્રવ્યોમાં એકતાની બુદ્ધિ ટળે નહિ ને સ્વભાવની શ્રદ્ધા થાય નહિ. સ્વભાવની શ્રદ્ધા થયા વગર સ્વભાવમાં અભેદતા થાય નહિ, એટલે કે જીવનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com