________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૧૫૮
નિમિત્ત જો નૈમિત્તિકમાં કાંઈ પણ કરે તો તેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન રહે પણ કર્તાકર્મ સંબંધ થઈ જાય.
૫૦. ‘ નિમિત્તની ઉપેક્ષા ન કરવી જોઈએ પણ નિમિત્ત મેળવવા જોઈએ ’ એ માન્યતા મિથ્યા છે.
પ્રશ્ન:- ‘કોઈને પુત્ર થવાનો હતો પણ દસ વર્ષ સુધી વિષય ન ભોગવ્યો અર્થાત્ પુત્ર થવા માટેનું નિમિત્ત ન મેળવ્યું તેથી પુત્ર ન થયો, માટે નિમિત્ત મેળવવું જોઈએ, નિમિત્તને રસ્તે ઉપાદાનનું કાર્ય થાય છે, આપણે નિમિત્તની ઉપેક્ષા કરવી ન જોઈએ ' –એ વાત બરાબર છે?
,
ઉત્ત૨:- એ વાત મિથ્યા છે. હું નિમિત્ત મેળવું તો કાર્ય થાય એ વાત ખોટી છે, તેમાં એકલી નિમિત્તાધીન દષ્ટિ છે. (પુત્ર થવા સંબંધી વાત આગળ આવી ગઈ છે જુઓ પેરો ૯) નિમિત્ત ન હતું માટે કાર્ય અટકી ગયું અને નિમિત્ત ભેગું કરું તો કાર્ય થાયએ વાત ત્રણકાળમાં સાચી નથી. જ્યારે પણ કાર્ય થવાનું જ ન હતું ત્યારે નિમિત્ત ન હતું અને કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જઆ અબાધિત નિયમ છે. પર નિમિત્તોને આત્મા મેળવી શકે એમ માનવું તે મિથ્યાત્વ છે.
એ રીતે, આત્માને પોતાના કાર્યમાં પરની અપેક્ષા નથી; છતાં ‘આપણે નિમિત્તની ઉપેક્ષા કરવી ન જોઈએ' એમ કોઈ માને તો તે જીવ સદાય નિમિત્ત સામે જ જોયા કરે એટલે તેની દષ્ટિ સદાય પર ઉપર જ રહ્યા કરે પણ પરની ઉપેક્ષા કરીને સ્વભાવનું નિર્મળ કાર્ય તે પ્રગટ કરે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com