________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા
૧૫૧ ગતિમાન હોય તેને પ્રેરક નિમિત્ત કહેવાય છે. અને જે નિમિત્ત પોતે સ્થિર કે ઈચ્છા વગરનું હોય તેને ઉદાસીન નિમિત્ત કહેવાય છે. ઈચ્છાવાળો જીવ અને ગતિમાન અજીવ તે પ્રેરક નિમિત્ત છે. તથા ઈચ્છા વગરનો જીવ અને ગતિ વગરના અજીવ તે ઉદાસીન નિમિત્ત છે. પરંતુ બન્ને પ્રકારના નિમિત્તો પરમાં બિલકુલ કાર્ય કરતા નથી ઘડો થાય તેમાં કુંભાર અને ચાક તે પ્રેરક નિમિત્ત છે અને ધર્માસ્તિકાય વગેરે ઉદાસીન નિમિત્ત છે.
મહાવીર ભગવાનના સમવસરણમાં ગૌતમગણધર આવવાથી દિવ્યધ્વનિ છૂટયો અને પહેલાં છાસઠ દિવસ સુધી ના આવવાથી ધ્વનિ અટકયો હતો-એ વાત સાચી નથી. વાણીના પરમાણુઓમાં જે સમયે વાણીરૂપે પરિણમવાની લાયકાત હતી તે સમયે જ તેઓ વાણીરૂપે પરિણમ્યા છે. અને તે વખતે જ બરાબર ગણધરદેવ હોય જ. ગણધર આવ્યા માટે વાણી છૂટી–એમ નથી. ગણધર જે સમયે આવ્યા છે તે સમયે જ તેમની આવવાની લાયકાત હતી. એવો જ સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે; તેથી “ગૌતમ ગણધર ન આવ્યા હોત તો વાણી ન છૂટત ને ?' એવા તર્કને અવકાશ જ નથી. ૩૯. નિમિત્ત ન હોય તો..?
“કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો...? ” એમ શંકા કરનારની સામે જ્ઞાનીઓ પૂછે કે “હે ભાઈ, તું જીવ જ આ જગતમાં ન હોત તો ? અથવા તો તું અજીવ હોત તો ?” શંકાકાર ઉત્તર આપે છે કે- “હું જીવ જ છું તેથી બીજા તર્કને સ્થાન નથી.” તો જ્ઞાની કહે છે કે-જેમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com