________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૯
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા રહ્યો છે, તે વખતે અલ્પ કર્મરૂપે બંધાવાની પરમાણુની પર્યાયમાં લાયકાત છે. આ રીતે સ્વલક્ષથી શરૂ કરવાનું છે.
“જગતના પરમાણુઓમાં મિથ્યાત્વાદિ કર્મ થવાની લાયકાત છે માટે જીવને મિથ્યાત્વાદિ ભાવ થવા જ જોઈએ એવી જેની માન્યતા છે તે જીવ સ્વદ્રવ્યના સ્વભાવને જાણતો નથી, અને તેથી તે તે જીવના નિમિત્ત મિથ્યાત્વાદિરૂપ પરિણમવાને યોગ્ય પરમાણુઓ આ જગતમાં છે, એમ જાણવું. પરંતુ સ્વભાવદષ્ટિથી જોનાર જીવને મિથ્યાત્વ હોતું જ નથી અને તે જીવના નિમિત્તે મિથ્યાત્વાદિરૂપ પરિણમે એવી લાયકાત જ જગતના કોઈ પરમાણમાં હોતી નથી. સ્વભાવદષ્ટિથી જ્ઞાની વિકારના અકર્તા થઈ ગયા છે, તેથી “જ્ઞાનીને વિકાર કરવો પડે' એ વાત જ ખોટી છે. જે અલ્પ વિકાર હોય તે પણ સ્વભાવદષ્ટિના જોરે પુરુષાર્થ વડે ટળતો જ જાય છે, આવી સ્વતંત્ર સ્વભાવદષ્ટિ (સમ્યક શ્રદ્ધા) કર્યા વગર જીવ જે કાંઈ શુભભાવરૂપ વ્રત, તપ, ત્યાગ કરે તે બધુંય “રણમાં પોક” ની જેમ મિથ્યા છે. ૩૭. “ફૂંકથી ડુંગર ઉડાડવાની વાત! ! !”
શંકાકાર:- “વસ્તુમાં જ્યારે જે પર્યાય થવાની હોય તે થાય અને ત્યારે નિમિત્ત હોય જ, પણ નિમિત્ત કાંઈ કરે નહિ કે નિમિત્ત દ્વારા કોઈ કાર્ય થાય નહિ” એ તો ફૂકથી ડુંગર ઉડાડવા જેવું છે. !
સમાઘાનઃ- અરે ભાઈ, અહીં તો ફૂંકથી પહાડ ઉડે એ વાત પણ નથી. પહાડના અનંત પરમાણુઓમાં ઊડવાની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com