________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
મૂળમાં ભૂલ જગતના બીજા પરમાણુ કેમ ન થયા? માટે જે જે પરમાણુઓમાં લાયકાત હતી તે જ પરમાણુઓ કર્મરૂપે પરિણમ્યા છે. તેઓ પોતાની લાયકાતથી જ કર્મરૂપ થયા છે, જીવના રાગ-દ્વેષને કારણે નહિ .
૩૬, પર ઉપર જોવાનું નથી પણ સ્વ ઉપર જોવાનું છે.
પ્રશ્ન:- જ્યારે પરમાણુઓમાં કર્મરૂપે થવાની લાયકાત હોય ત્યારે આત્માને રાગ-દ્વેષ કરવા જ જોઈએ, કેમકે પરમાણુમાં કર્મરૂપ થવાનું ઉપાદાન છે તેથી ત્યાં જીવના વિકારરૂપ નિમિત્ત પણ હોવું જ જોઈએ એ વાત બરાબર છે?
ઉત્તર- એ પ્રશ્ન જ અજ્ઞાનીનો છે. તારે તારા સ્વભાવમાં જોવાનું કામ છે કે પરમાણમાં જોવાનું કામ છે? જેની સ્વતંત્રદષ્ટિ થઈ છે તે આત્મા ઉપર જુએ છે, અને જેની નિમિત્તાધીનદષ્ટિ છે તે પર ઉપર જુએ છે. “જ્યારે જે વસ્તુની જે અવસ્થા થવાની હોય તે જ થાય છે” એમ જેણે યથાર્થ નિર્ણય કર્યો તેને દ્રવ્યષ્ટિ થઈ– સ્વભાવદષ્ટિ થઈ; હવે સ્વભાવદષ્ટિમાં તેને તીવ્ર રાગાદિ થતાં જ નથી અને તે જીવના નિમિત્તે તીવ્ર કર્મરૂપે પરિણમે એવી લાયકાતવાળા પરમાણુઓ જ આ જગતમાં હોતા નથી. જીવે પોતાના સ્વભાવના પુરુષાર્થથી સમ્યગ્દર્શન પ્રગટ કર્યું ત્યાં તે જીવને માટે મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે એવી લાયકાત જગતના કોઈ પરમાણુઓમાં હતી જ નથી. અને સમ્યગ્દષ્ટિને જે અલ્પ રાગ-દ્વેષ છે તે પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com