________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૭
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા સૌના પોતાના કારણે સૌની અવસ્થા થઈ રહી છે, ત્યાં નિમિત્તથી થયું અથવા નિમિત્તે કર્યું' એમ અજ્ઞાની માને છે. ૩૫. ઉપાદાન અને નિમિત્ત બંનેની સ્વતંત્ર લાયકાત
(આત્મા અને કર્મ)
આત્મા પોતાની પર્યાયમાં જ્યારે રાગ-દ્વેષ કરે ત્યારે કર્મના જે પરમાણુઓની યોગ્યતા હોય તે ઉદયરૂપ હોય જ, કર્મ ન હોય તેમ ન બને; પણ કર્મ ઉદયમાં આવ્યું માટે જીવને રાગ-દ્વેષ થયા એ માન્યતા ખોટી છે. અને રાગ-દ્વેષ કર્યા માટે કર્મ આવ્યુંએ માન્યતા પણ ખોટી છે. જીવને પોતાના પુરુષાર્થની નબળાઈથી રાગ-દ્વેષ થવાની યોગ્યતા હતી તેથી જ રાગ-દ્વેષ થયા છે અને તે વખતે જે કર્મોમાં યોગ્યતા હતી તે કર્મો ઉદયમાં આવ્યા છે અને તેને જ નિમિત્ત કહેવાય છે, પણ તે કર્મના કારણે જીવની પર્યાયમાં રાગ-દ્વેષ કે વિલક્ષણતા થયા નથી.
- જ્યારે જ્ઞાનની પર્યાય અપૂર્ણ હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મમાં જ નિમિત્તપણાની લાયકાત છે. જીવની પર્યાયમાં જીવ મોડું કરે ત્યારે મોહકર્મને જ નિમિત્ત કહેવાય એવી તે કર્મપરમાણુઓની યોગ્યતા છે. જેમ ઉપાદાનમાં સમયે સમયે સ્વતંત્ર યોગ્યતા છે, તેમ નિમિત્ત તરીકેની મોહકર્મના તે તે દરેક પરમાણુમાં સમયસમયની સ્વતંત્ર યોગ્યતા છે.
પ્રશ્ન- જીવે રાગ-દ્વેષ કર્યા માટે પરમાણુમાં કર્મ અવસ્થા થઈને ?
ઉત્તર:- નહિ; અમુક પરમાણુ કર્મરૂપે થયા અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com