________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૧૪૬
છે અને તે દૃષ્ટિથી પરની એકત્વબુદ્ધિ કદી ટળતી નથી. સમ્યગ્દષ્ટિ જીવ સ્વતંત્ર વસ્તુ સ્વભાવને જુએ છે કે, દરેક વસ્તુની સમય સમયની યોગ્યતાથી જ તેનું જ કાર્ય સ્વતંત્રપણે થાય છે.
૩૪. ઉપાદાન અને નિમિત્ત બંનેની સ્વતંત્ર લાયકાત ( લૂગડું અને અગ્નિ )
લૂગડાંમાં જે વખતે જે ક્ષેત્રે જે સંયોગમાં બળવાની લાયકાત હોય તે વખતે તે ક્ષેત્રે તે સંયોગમાં તેની બળવાની પર્યાય થાય છે, અને અગ્નિ તે વખતે સ્વયં હોય છે. અગ્નિ આવી માટે લૂગડું બળી ગયું-એમ નથી, અને ‘લૂગડાંમાં બળી જવાની અવસ્થા થવાની લાયકાત હોય પણ અગ્નિ કે બીજો યોગ્ય પદાર્થ ન આવે તો તે અવસ્થા અટકી જાય ' –એમ પણ નથી; જે સમયે યોગ્યતા હોય તે સમયે જ તે બળે જ અને તે વખતે અગ્નિ પણ હોય જ. છતાં અગ્નિની ઉપસ્થિતિના કારણે લૂગડાંની અવસ્થામાં કાંઈ પણ વિલક્ષણતા થઈ નથી. અગ્નિએ લૂગડાંને બાળ્યું તે માન્યતા મિથ્યાત્વ છે.
કોઈ પૂછે કે લૂગડું બળતી વખતે અમુક જ અગ્નિ હતો અને બીજો ન હતો તેનું શું કારણ? તો તેનો ઉત્તર એ છે કે-તે વખતે જે અગ્નિ હતો તે જ અગ્નિની નિમિત્તપણાની લાયકાત હતી, બીજો અગ્નિ ન જ હોય કેમકે તેનામાં નિમિત્તપણાની લાયકાત હતી જ નહિ. ઉપાદાન વખતે જે નિમિત્તની યોગ્યતા હોય તે નિમિત્ત જ હોય, બીજું હોય જ નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com