________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૧૪૪
સ્થિત થાય છે તે પણ તેમની જ તેવી લાયકાત છે તે કારણે છે. તે વખતે અધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય છે.
પ્રશ્ન:- સિદ્ધભગવાન લોકાકાશની બહાર કેમ ગમન કરતા
નથી ?
ઉત્ત૨:- તેમની લાયકાત જ તેવી છે; કેમ કે તે લોકનું દ્રવ્ય છે અને તેની લાયકાત લોકના છેડા સુધી જ જવાની છે, લોકાકાશની બહાર જવાની તેમનામાં લાયકાત જ નથી. · અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ છે માટે સિદ્ધ ત્યાં ગમન કરતા નથી' એ માત્ર વ્યવહારનયનું કથન છે અર્થાત્ ઉપાદાનમાં સ્વયં લાયકાત અલોકમાં જવાની ન હોય ત્યારે નિમિત્ત પણ ન હોય એવો ઉપાદાન-નિમિત્તનો મેળ બતાવવા માટે તે કથન છે.
૩૧. દરેક પદાર્થનું કાર્ય સ્વતંત્ર છે.
કોઈએ પોતાના મુનીમ ઉપર પત્ર લખ્યો કે અમુક રૂપિયા બેંકમાં મૂકો. અને મુનીમે રૂપિયા બેંકમાં મૂકયા. તેમાં જીવે પત્ર લખવાનો વિકલ્પ કર્યો માટે પત્ર લખાયો-એમ નથી, પત્ર આવ્યો માટે મુનીમને બેંકમાં રૂપિયા મૂકવાનો વિકલ્પ આવ્યો-એમ નથી, અને મુનીમને વિકલ્પ આવ્યો માટે રૂપિયા બેંકમાં મૂકાયા તેમ પણ નથી. તેવી જ રીતે રૂપિયા બેંકમાં મૂકાવાના હતા માટે મુનીમને વિકલ્પ આવ્યો-એમ નથી. એ પ્રમાણે દરેકમાં સમજી લેવું. જીવનો વિકલ્પ સ્વતંત્ર, કાગળની અવસ્થા સ્વતંત્ર, મુનીમનો વિકલ્પ સ્વતંત્ર અને રૂપિયાની અવસ્થા સ્વતંત્ર; મુનીમને વિકલ્પ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com