________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
મૂળમાં ભૂલ અંતરાય હોય જ નહિ. એવો જ ઉપાદાન-નિમિત્તનો સંબંધ છે કે બન્નેનો મેળ હોય છતાં એક બીજાના કારણે કોઈની ક્રિયા થઈ નથી. સોયની કરવાની યોગ્યતા થઈ માટે લોહચુંબક નજીક આવ્યો-એમ નથી અને લોહચુંબક નજીક આવ્યો માટે સોય ખેંચાણી–તેમ પણ નથી. સોયની ક્ષેત્રોતરની લાયકાત હોય છે તે જ વખતે લોહચુંબકમાં તે ક્ષેત્રે જ રહેવાની લાયકાત હોય છેઆનું નામ જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે.
૨૮. નિમિત્તપણાની લાયકાત.
પ્રશ્ન- લોહચુંબક પત્થર સોયમાં કાંઈ જ નથી કરતો તો તેને જ નિમિત્ત કેમ કહ્યું? અન્ય સામાન્ય પત્થરને નિમિત્ત કેમ ન કહ્યું? જેમ લોહચુંબક સોયને કાંઈ નથી કરતો છતાં તેને નિમિત્ત કહેવાય છે. તો પછી લોહચુંબકની જેમ અન્ય પત્થર પણ સોયને કાંઈ નથી કરતા છતાં તેને નિમિત્ત કેમ નથી કહેવાતું?
ઉત્તર- તે સમયે તે કાર્યમાં લોહચુંબક પત્થરમાં જ નિમિત્તપણાની લાયકાત છે, અર્થાત્ ઉપાદાનના કાર્ય માટે અનુકૂળતાનો આરોપ આપી શકાય તેવી લાયકાત લોહચુંબક પત્થરની તે સમયની પર્યાયમાં છે, બીજા પત્થરમાં તેવી લાયકાત તે સમયે નથી. જેમ સોયમાં ઉપાદાનપણાની લાયકાત છે તેથી તે ખેંચાય છે, તેમ તે વખતે જ લોહચુંબક પત્થરમાં નિમિત્તાની નયતિ છે તેથી તેને નિમિત્ત કહેવાય છે. એક સમયની ઉપાદાનની લાયકાત ઉપાદાનમાં છે, અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com