________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૯
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા તેમ બન્યું તેવી રીતે બધાય પદાર્થોનું બનવાનું હોય તેમ જ બને છે-એવો પણ નિર્ણય હોય. અને જો એમ હોય તો પછી હું પરદ્રવ્યોને નિમિત્ત થાઉં તો તેનું કામ થાય, નિમિત્ત હોય તો જ કામ થાય, નિમિત્તનું કોઈ વખતે જોર છે' એવી બધી માન્યતા ટળી જાય છે. “બધું નિયત છે” એટલે જે કાર્યમાં જે સમયે જે નિમિત્તની હાજરી રહેવાની હોય તે કાર્યમાં તે સમયે નિમિત્ત સ્વયમેવ હોય જ. તો પછી “નિમિત્ત મેળવવું જોઈએ અથવા નિમિત્તની ઉપેક્ષા ન કરી શકાય અથવા તો નિમિત્ત ન હોય તો કાર્ય ન થાય' એવી માન્યતાઓને અવકાશ જ ક્યાં છે? જો સમ્યક નિયતવાદનો નિર્ણય હોય તો નિમિત્તાધીનદષ્ટિ ટળી જાય છે. ૨૪. મિથ્યા નિયતવાદને “ગૃહીત મિથ્યાત્વ કેમ કહ્યું?
પ્રશ્ન- મિથ્યાનિયતવાદને ગૃહીત મિથ્યાત્વ કેમ કહ્યું છે?
ઉત્તર- નિમિત્તથી ધર્મ થાય, રાગથી ધર્મ થાય, શરીરાદિનું આત્મા કરી શકે એવી માન્યતારૂપ અગૃહીંતમિથ્યાત્વ તો અનાદિનું હતું. અને જમ્યા પછી શાસ્ત્ર વાંચીને અથવા કુગુરુ વગેરેના નિમિત્તે મિથ્યાનિયતવાદનો નવો કદાગ્રહ ગ્રહણ કર્યો તેથી તેને ગૃહીત મિથ્યાત્વ કહેવાય છે. પહેલાં જેને અનાદિનું અગૃહીત મિથ્યાત્વ હોય તેને જ ગૃહીત મિથ્યાત્વ થાય. જીવો સાતાશીળિયાપણાથી, ઈન્દ્રિયવિષયોના પોષણ માટે, “થવાનું હશે તેમ થશે, એમ કહી એક સ્વચ્છંદતાનો માર્ગ શોધી કાઢે છે તેનું નામ ગૃહીત મિથ્યાત્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com