________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
મૂળમાં ભૂલ નિયતવાદના બે પ્રકાર છે-એક સમ્પનિયતવાદ ને બીજો મિથ્યા નિયતવાદ, સમ્યફ નિયતવાદ તો વીતરાગતાનું કારણ છે, એનું સ્વરૂપ ઉપર બતાવ્યું છે. કોઈ જીવ “જેમ બનવાનું હોય તેમ જ બને છે” એમ નિયતવાદને માને ખરો, પરંતુ પરનું લક્ષ અને પર્યાયદષ્ટિ છોડીને સ્વભાવ તરફ ઢળે નહિ, નિયતવાદને જે નક્કી કરનાર છે એવા પોતાના જ્ઞાન અને પુરુષાર્થની સ્વતંત્રતાને સ્વીકારે નહિ, પરનું અને વિકારનું કર્તાપણાનું અભિમાન છોડ નહિ-એ રીતે પુરુષાર્થને ઉથાપીને સ્વછંદે પ્રવર્તે એને ગૃહીત મિથ્યાષ્ટિ કહ્યો છે.
“થવાનું હોય તે થાય છે', એમ માત્ર પર લક્ષ માન્યું તે યથાર્થ નથી, “થવાનું હોય તે થાય છે' એવો જ યથાર્થ નિર્ણય હોય તો જીવનું જ્ઞાન પર પ્રત્યે ઉદાસીન થઈને પોતાના સ્વભાવમાં વળી જાય, અને તે જ્ઞાનમાં યથાર્થ શાંતિ થઈ જાય. તે જ્ઞાન સાથે જ પુરુષાર્થ, નિયતિ, કાળ, સ્વભાવ ને કર્મ-એ પાંચે સમવાય આવી જાય છે. ૨૩. મિથ્યા નિયતવાદના ઉપલક્ષણો
પ્રશ્ન- મિથ્યા નિયતવાદી જીવ પણ પર વસ્તુ ભાંગી જાય કે નષ્ટ થઈ જાય ત્યારે “જેમ બનવાનું હતું તેમ બન્યું' એમ માનીને શાંતિ તો રાખે છે? તો પછી તેને સમ્યક નિયતવાદનો નિર્ણય કેમ નથી?
ઉત્તર- તે જીવ જે શાંતિ રાખે છે તે યથાર્થ નથી પણ મંદકપાયરૂપ શાંતિ છે. જો નિયતવાદનો યથાર્થ નિર્ણય હોય તો, જેવી રીતે એક પદાર્થનું જેમ બનવાનું હતું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com