________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સ્વતંત્રતા
૧૩૭
જ્ઞાન કાર્ય કરે છે. સ્વભાવમાં બુદ્ધિ રોકાય છે છતાં તે બધાને જે જીવ નથી માનતો અને નિયતવાદની વાત કરે છે તે જીવને એકાંતી ગૃહીત મિથ્યાદષ્ટિ કહેવામાં આવ્યો છે. પણ જે જીવ નિયતવાદને માનીને પરના અને રાગના કર્તાપણાનો અભાવ કરે છે તથા જ્ઞાતા દષ્ટાપણાનો સાક્ષીભાવ પ્રગટ કરે છે તે જીવ તો અનંત પુરુષાર્થી સમ્યગ્દષ્ટિ છે.
૨૨. કોણ કહે છે સમ્યક્ નિયતવાદ તે ગૃહીત મિથ્યાત્વ છે ?
સમ્યક્ નિયતવાદ તે ગૃહીત મિથ્યાત્વ નથી પણ વીતરાગતાનું કારણ છે. જેઓ આવા સમ્યક્ નિયતવાદને એકાંત મિથ્યાત્વ કહે છે તેઓ આ વાતને યથાર્થ સમજ્યા તો નથી, પણ આ વાત તેમણે બરાબર સાંભળી પણ નથી. · બધા જ પદાર્થોમાં જેમ બનવાનું હોય તેમ જ બને' એ નિર્ણય કરતાં, એક પર્યાય ઉ૫૨થી દષ્ટિ છૂટીને ત્રિકાળ તરફ દષ્ટિ લંબાણી અર્થાત્ દ્રવ્યદૃષ્ટિ થઈ, એટલે પરને અને સ્વને વર્તમાન પર્યાય પૂરતા જ ન માન્યા પણ કાયમના માન્યા. આત્માનો કાયમનો સ્વભાવ તો શુદ્ધ રાગરતિ છે તેથી તે જીવ રાગનો અકર્તા થયો, અને ૫૨ પદાર્થોને કાયમના માન્યા એટલે કે તે પદાર્થોમાં તેની ત્રણે કાળની પર્યાયની લાયકાત પડી છે, તે મુજબ જ તેની અવસ્થા સ્વતંત્રપણે થાય છે. આ રીતે સમ્યક્ નિયતવાદના નિર્ણયમાં સ્વતંત્રતાની પ્રતીતિ થઈ. પોતાની અવસ્થાનો આધાર દ્રવ્ય છે, ને દ્રવ્યસ્વભાવ તો शुद्ध છે એવી પ્રતીતિ પૂર્વક ‘જે બનવાનું હોય તે બને' એમ માને છે તે જીવને વીતરાગી દૃષ્ટિ છે. આ નિયતવાદ તો વીતરાગતાનું કારણ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com