SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મૂળમાં ભૂલ ૧૩૦ સ્વતંત્રતા ન સમજે અને ‘નિમિત્તથી થાય' એમ માને ત્યાં સભ્યશ્રદ્ધા નથી, અને સભ્યશ્રદ્ધા વગર જ્ઞાન સાચું નથી શાસ્ત્રનાં ભણતર સાચાં નથી, વ્રત સાચાં નથી, ત્યાગ સાચો નથી દરેક વસ્તુમાં સમય-સમયની પર્યાયની સ્વતંત્રતા છે. દરેક પદાર્થમાં તેના કારણે સમય સમયની તેની પર્યાયની લાયકાતથી કાર્ય થાય છે. પર્યાયની લાયકાત તે ઉપાદાનકારણ છે અને તે વખતે તે કાર્ય માટે અનુકૂળતાનો આરોપ જેના ઉપર આવી શકે એવી લાયકાતવાળી બીજી ચીજ યોગ્ય ક્ષેત્રે હોય છે તેને નિમિત્તકારણ કહેવાય છે, પણ તેના કારણે વસ્તુમાં કાંઈ થતું નથી. આવું ભિન્નતાનું યથાર્થ ભાન તે ભેદજ્ઞાન છે. આત્મા તેમ જ દરેક પરમાણુની પર્યાય સ્વતંત્ર છે. જીવને વાંચવાનો વિકલ્પ ઊઠયો માટે પુસ્તક હાથમાં આવ્યું એમ નથી, અથવા તો પુસ્તક આવ્યું માટે વિકલ્પ ઊઠયો-એમ નથી. તેમજ જ્ઞાન થવાનું હતું માટે વાંચવાનો વિકલ્પ ઊઠયો એમ નથી અને વાંચવાનો વિકલ્પ ઊઠયો માટે જ્ઞાન થયું-એમ પણ નથી. પણ દરેક દ્રવ્યે તે વખતે સ્વતંત્રપણે પોતપોતાનું કાર્ય કર્યું છે. વીતરાગી ભેદિવજ્ઞાન એમ જણાવે છે કે-દરેક સમયે દરેક પર્યાય પોતાના સ્વતંત્ર ઉપાદાનથી જ કાર્ય કરે છે. ઉપાદાનનું કાર્ય નિમિત્ત આવે તો થાય-એવું પરાધીન વસ્તુસ્વરૂપ નથી, પણ ઉપાદાનનું કાર્ય સ્વતંત્ર થાય છે ત્યારે નિમિત્ત તેની પોતાની લાયકાતથી હોય છે. ૧૩. સૂર્ય ઊગ્યો માટે છાયામાંથી તડકો થયો -એ વાત ખોટી છે. છાયામાંથી તડકો થવાની પરમાણુની અવસ્થામાં જે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.009193
Book TitleMul ma Bhul
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy