________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૯
ઉપાદાન-નિમિત્ત દોહરા છૂટવાનાં હતાં માટે જીવને વિકલ્પ આવ્યો એમ પણ નથી; કેમકે જો એમ હોય તો લૂગડાંની પર્યાય તે કર્તા ઠરે અને વિકલ્પ આવ્યો તે તેનું કર્મ ઠરે, એટલે કે બે દ્રવ્યો એક થઈ જાય. પણ
જ્યારે સ્વભાવના ભાનપૂર્વક ચારિત્રનો વિકલ્પ ઊઠે અને ચારિત્ર ગ્રહણ કરે ત્યારે વસ્ત્ર છૂટવાનો પ્રસંગ સહજપણે તેના કારણે હોય છે. પણ “મેં વસ્ત્ર છોડ્યાં અથવા તો મારો વિકલ્પ નિમિત્ત થયો તેથી વસ્ત્ર છૂટી ગયાં એવી માન્યતા તે મિથ્યાત્વ છે. વીતરાગી ચારિત્ર પહેલાં પંચમહાવ્રતાદિનો વિકલ્પ આવ્યા વગર ન રહે, પણ તે વિકલ્પના આશ્રયે ચારિત્રદશા પ્રગટતી નથી.
ચારિત્રમાં પંચમહાવ્રતના વિકલ્પને નિમિત્ત કહેવાય છે. વિકલ્પ તો રાગ છે તેનાથી સ્વભાવ તરફ ઢળાતું નથી પણ વિકલ્પ છોડીને સ્વભાવ તરફ ઢળે ત્યારે પૂર્વના વિકલ્પને નિમિત્ત કહેવાય છે. પંચમહાવ્રતાદિના વિકલ્પને ચારિત્રનું નિમિત્ત કયારે કહેવાય? જો સ્વભાવમાં લીનતાનો પુરુષાર્થ કરીને ચારિત્રદશા પ્રગટ કરે તો વિકલ્પને તેનું નિમિત્ત કહેવાય. પણ પંચમહાવ્રતના વિકલ્પરૂપ નિમિત્ત કરું તો ચારિત્ર પ્રગટે-એવી માન્યતા તે મિથ્યાત્વ છે. તેવી જ રીતે વ્યવહાર દર્શન, વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર ચારિત્રના પરિણામ કરું તો તેનાથી નિશ્ચયદર્શન-જ્ઞાનચારિત્ર પ્રગટે એ માન્યતા પણ મિથ્યાત્વ છે.
૧૨. સમય સમયની સ્વતંત્રતા અને ભેદજ્ઞાન.
આ વાત દરેક વસ્તુના સ્વતંત્ર સ્વભાવની છે. સ્વભાવની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com