________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
મૂળમાં ભૂલ નિમિત્તોને નજીક લાવવા કે દૂર કરવા તે જીવ કરી શકતો નથી. કોઈ જિનમંદિર વગેરે ધર્મસ્થાનનું શિલાન્યાસ (ખાતમુહૂર્ત) કરવાનો શુભભાવ જીવે કર્યો, માટે જીવના ભાવને લીધે બહારમાં ખાતમુહૂતની ક્રિયા થઈ–એ વાત ખોટી છે. જીવ માત્ર નિમિત્ત ઉપર લક્ષ કરે અથવા લક્ષ છોડે, પણ નિમિત્તરૂપ પરપદાર્થોમાં તે કાંઈ ફેરફાર કરી શકે નહિ. આવો વસ્તુનો સ્વભાવ જ છે, આ સમજવું તે ભેદજ્ઞાન છે. ૧૧. પંચમહાવ્રતને કારણે ચારિત્રદશા નથી, ને ચારિત્રના કારણે વસ્ત્રનો ત્યાગ નથી.
જેને આત્માની નિર્મળ વીતરાગી ચારિત્ર દશા થાય તેને તે દશા થયા પહેલાં ચારિત્ર અંગીકાર કરવાનો વિકલ્પ ઊંઠે. જે વિકલ્પ ઊઠયો તે રાગ છે, તેના કારણે વીતરાગભાવરૂપ ચારિત્ર પ્રગટતું નથી; ચારિત્ર તો તે જ સમયની પર્યાયના પુરુષાર્થથી પ્રગટયું છે.
ચારિત્રદશામાં શરીરની નગ્નદશા શરીરના કારણે હોય છે. આત્માને ચારિત્ર અંગીકાર કરવાનો વિકલ્પ ઊઠયો તેના કારણે અથવા તો ચારિત્રદશા પ્રગટ કરી તેના કારણે શરીર ઉપરથી લૂગડાં ખસી ગયાં-એમ નથી, પણ તે સમયે લૂગડાંનાં પરમાણુઓની અવસ્થામાં ક્ષેત્રોતરની તેવી જ લાયકાત હતી તેથી જ તે ખસ્યાં છે, આત્માએ વિકલ્પ કર્યો માટે તે વિકલ્પ આધીન લૂગડાં છૂટી ગયાં- એમ જો હોય તો વિકલ્પ તે કર્તા થયો અને લૂગડાં છૂટયાં તે તેનું કર્મ થયું એટલે કે બે દ્રવ્યો એક થઈ જાય. તેવી જ રીતે લૂગડાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com