________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત દોહરા
૧૨૭ પત્ની બ્રહ્મચર્ય પાળે છે એટલે કે પુત્ર થવાનું નિમિત્ત નથી મળતું તેથી તે આવતાં અટકી ગયાં-એ માન્યતા મિથ્યાત્વ છે. પુત્ર થવાનો જ ન હતો અર્થાત્ તે જીવ અને અનંત રજકણોની ક્ષેત્રાંતરરૂપ અવસ્થાની લાયકાત જ ત્યાં આવવાની ન હતી તેથી જ તે આવ્યા નથી. “પુત્ર આવવાની લાયકાત તો હતી જ પણ નિમિત્ત ન મળ્યું માટે ન આવ્યો, ને નિમિત્ત મળ્યું ત્યારે આવ્યો” -એ માન્યતાનો અર્થ એ થયો કે નિમિત્તે કાર્ય કર્યું; એ બે દ્રવ્યની એકત્વબુદ્ધિ જ છે અથવા તો માતા-પિતાએ નિમિત્તનો રસ્તો ન લીધો માટે પુત્ર ન થયો એ વાત પણ મિથ્યા છે. પુત્ર થવાની લાયકાત હોય ત્યાં તે થાય છે અને તે વખતે વિષયાદિનો અશુભ વિકલ્પ તથા શરીરની ભોગરૂપ ક્રિયા હોય છે તેને નિમિત્ત કહેવાય છે. પણ પુત્ર આવવાનો તેના કારણે વિકલ્પ કે ક્રિયા નથી, અને ક્રિયા તથા વિકલ્પ થયો તે કારણે પુત્ર આવ્યો નથી. વિષયનો અશુભ વિકલ્પ આવ્યો માટે દેહની ક્રિયા થઈ–એમ નથી, દેહની ક્રિયા થવાની હતી માટે અશુભ વિકલ્પ આવ્યો એમ પણ નથી. દરેક દ્રવ્ય પોતાનું કાર્ય સ્વતંત્રપણે કર્યું છે. ૧૦. જીવ નિમિત્તોને મેળવી કે દૂર કરી શકે નહિ; માત્ર પોતાનું
લક્ષ ફેરવી શકે.
જીવ પોતામાં શુભભાવ કરી શકે, પણ શુભભાવ કરવાથી તે બહારના શુભ નિમિત્તોને મેળવી શકે અથવા તો અશુભ નિમિત્તને દૂર કરી શકે એમ નથી. જીવ પોતે અશુભ નિમિત્તો ઉપરથી લક્ષ ફેરવીને શુભ નિમિત્તો ઉપર લક્ષ કરે, પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com