________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૧
ઉપાદાન-નિમિત્ત દોહરા સમયે લાયકાત હોય તે જ સમયે તડકો થાય છે, અને તે સમયે સૂર્ય વગેરે નિમિત્ત તરીકે હોય છે. પણ સૂર્ય વગેરે નિમિત્ત આવ્યું માટે છાયામાંથી તડકો થયો-એ વાત ખોટી છે. તેમજ છાયામાંથી તડકારૂપે અવસ્થા થવાની હતી માટે સૂર્ય વગેરેને આવવું પડયુંએ વાત પણ ખોટી છે. સૂર્ય ઊગ્યો તે તેની તે વખતની લાયકાત છે, ને જે પરમાણુઓ છાયામાંથી તડકારૂપે થયા તેની તે સમયની તેવી લાયકાત છે. ૧૪. કેવળજ્ઞાન અને વજાર્ષભનારાચસંહનન-બંનેની સ્વતંત્રતા
કેવળજ્ઞાન થાય ત્યારે વજાર્ષભનારાચસંહનન નિમિત્ત હોય છે. પણ તે વજાર્ષભનારાચસંહનન નિમિત્તરૂપે છે માટે કેવળજ્ઞાન થયું છે-એમ નથી. અને કેવળજ્ઞાન થવાનું છે માટે વજાર્ષભનારાયસન્હનનપણે પરમાણુઓને થવું પડ્યું -એમ પણ નથી. જ્યાં જીવની પર્યાયમાં કેવળજ્ઞાનના પુરુષાર્થની જાગૃતિ હોય ત્યાં શરીરના પરમાણુઓમાં વજાર્ષભનારાચસંહનનરૂપ અવસ્થા તેની લાયકાતથી હોય છે. બંનેની લાયકાત સ્વતંત્ર છે, કોઈના કારણે કોઈ નથી. જીવને કેવળજ્ઞાન પામવાની યોગ્યતા હોય ત્યારે શરીરના પરમાણુઓમાં વજાર્ષભનારાચસંહનનરૂપ અવસ્થાની જ યોગ્યતા હોય-એવો મેળ સ્વભાવથી જ છે, કોઈ એકબીજાના કારણે નથી. ૧૫. પેટ્રોલ ખૂટ્ય માટે મોટર અટકી-એ વાત સાચી નથી.
એક મોટર ચાલતી હોય અને તેની પેટ્રોલની ટાંકી ફૂટી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com