________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત દોહરા
૧ર૩ ગુરુને નિમિત્ત કહેવાય છે અને જીવને ગુરુના બહુમાનનો વિકલ્પ ઊઠે ત્યારે તે એમ પણ કહે કે મને ગુરુથી જ્ઞાન થયું. ૩. “ગુથી જ્ઞાન થયું એમ કહેવું તે કપટ નથી પણ વ્યવહાર છે.
પ્રશ્ન:- જ્ઞાન તો પોતાથી જ થયું છે, ગુરુથી થયું નથી એમ જાણે છે છતાં ગુરુથી જ્ઞાન થયું એમ કહેવું તે કપટ ન કહેવાય?
ઉત્તર- વ્યવહારમાં એમ જ બોલાય. એ કપટ નથી પણ યથાર્થ સિદ્ધાંત છે. ગુરુના બહુમાનનો શુભ વિકલ્પ ઊઠયો છે તેથી નિમિત્તમાં આરોપ અપાય છે.
પ્રશ્ન:- ગુરુના બહુમાનનો વિકલ્પ ઊઠે તે તો બરાબર છે પણ “ગુરુથી જ્ઞાન થયું” એમ શા માટે કહે છે?
ઉત્તર:- બહુમાનનો વિકલ્પ ઊઠયો છે તેથી નિમિત્તમાં આરોપ કરીને વ્યવહારે તેમ કહેવાય છે આરોપની ભાષા એવી જ હોય. પણ ખરેખર ગુરુથી જ્ઞાન થયું છે એમ નથી અથવા તો ગુરુ ન હોત તો જ્ઞાન ન થાત એમ પણ નથી. પોતે પુરુષાર્થથી
જ્યારે જ્ઞાન કરે છે ત્યારે ગુરુ નિમિત્ત તરીકે ગણાય છે-એ સિદ્ધાંત છે. ૪. માટીમાં ઘડારૂપ પર્યાય થવાની લાયકાત કાયમની નથી પણ એક સમયની જ છે.
માટીમાંથી ઘડો થાય છે. તે તેની વર્તમાન પર્યાયની તે સમયની લાયકાતથી જ થયો છે, કુંભારના કારણે થયો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com