________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
મૂળમાં ભૂલ નથી. કોઈ એમ કહે કે “માટીમાં ઘડો થવાની લાયકાત તો કાયમ છે પણ કુંભાર આવ્યો ત્યારે ઘડો થયો.” –તો એ માન્યતા ખોટી છે. માટીમાં ઘડારૂપે થવાની લાયકાત કાયમ નથી, પણ વર્તમાન એક જ સમયની પર્યાયની તે લાયકાત છે, અને જે સમયે પર્યાયમાં લાયકાત હોય છે તે સમયે જ ઘડો થાય છે અન્ય પદાર્થોથી માટીને જુદી ઓળખાવવા માટે માટીમાં ઘડો થવાની લાયકાત છે” એમ દ્રવ્યાર્થિકનયે કહેવાય છે. પણ ખરેખર તો જ્યારે ઘડો થાય છે ત્યારે જ તેનામાં ઘડો થવાની લાયકાત છે, ત્યારે પહેલાં ઘડો થવાની લાયકાત નથી પણ બીજી પર્યાયો થવાની લાયકાત છે. ૫. ગુરુને લીધે શ્રદ્ધા થતી નથી.
આત્મા પુરુષાર્થથી સાચી શ્રદ્ધા કરે છે, તે તેની પર્યાયની વર્તમાન લાયકાત છે, ને ગુરુ પોતાના કારણે હાજર હોય છે તે નિમિત્ત છે. જીવે શ્રદ્ધા કરી માટે ગુરુને આવવું પડ્યું એમ નથી, તેમજ ગુરુ આવ્યા તેના કારણે શ્રદ્ધા થઈ એમ પણ નથી; બને પોતાના કારણે છે. જો ગુરુ આવ્યા માટે શ્રદ્ધા થઈ–એમ માનીએ તો, ગુરુ કર્તા અને શિષ્યને શ્રદ્ધા થઈ તે તેનું કાર્ય-એમ બે દ્રવ્યોને કર્તાકર્મપણું થઈ જાય અથવા તો શ્રદ્ધા કરી માટે ગુરુ આવ્યા એમ માનીએ તો, શ્રદ્ધા કર્તા અને ગુરુ આવ્યા તે તેનું કાર્ય-એમ બે દ્રવ્યોને કર્તાકર્મપણું થઈ જાય. પણ શ્રદ્ધા થઈ તે શ્રદ્ધાની પર્યાયના કારણે. ને ગુરુ આવ્યા તે ગુરુની પર્યાયના કારણે બન્ને સ્વતંત્ર છે. ૬. શાસ્ત્રથી જ્ઞાન થતું નથી.
સામે શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું એમ નથી. પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com