________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
મૂળમાં ભૂલ ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા ૧. ઉપાદાન-નિમિત્ત
ઉપાદાન કોને કહેવું? અને નિમિત્ત કોને કહેવું? આત્માની ત્રિકાળી શક્તિને ઉપાદાન કહેવાય છે તેમજ પર્યાયની વર્તમાન શક્તિને ઉપાદાન કહેવાય છે. જે અવસ્થામાં કાર્ય થાય છે તે સમયની તે અવસ્થા પોતે જ ઉપાદાનકારણ છે; અને તે વખતે તેને અનુકૂળ પરદ્રવ્ય નિમિત્ત છે. નિમિત્તને લીધે ઉપાદાનમાં કાંઈ થતું નથી. આ ઉપાદાન-નિમિત્ત સંબંધી ચાલતી અનેક પ્રકારની મિથ્યામાન્યતા દૂર થઈ જાય તે માટે આ ઉપાદાન-નિમિત્તનો સિદ્ધાંત અનેક દષ્ટાંતો સહિત સમજાવવામાં આવે છે. ૨. ગુરુના નિમિત્તથી જ્ઞાન થતું નથી
આત્મામાં જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માની પર્યાયની શક્તિથી થાય છે કે શાસ્ત્રના નિમિત્તથી થાય છે? આત્માની પર્યાયની લાયકાતથી જ જ્ઞાન થાય છે, નિમિત્તથી જ્ઞાન થતું નથી. જે વખતે આત્માની પર્યાયમાં પુરુષાર્થ દ્વારા સમ્યજ્ઞાન પ્રગટ કરવાની લાયકાત હોય અને આત્મા સમ્યજ્ઞાન પ્રગટ કરે તે વખતે ગુરુને નિમિત્ત કહેવાય છે. પણ ગુરુના નિમિત્તથી જ્ઞાન થયું નથી.
જ્યારે જીવમાં પ્રથમ સમ્યજ્ઞાનનો પુરુષાર્થ હોય ત્યારે ગુરુની વાણીની જોગવાઈ હોય જ, પણ જ્યાં સુધી તે વાણી ઉપર જીવનું લક્ષ છે ત્યાં સુધી રાગ છે, અને જ્યારે વાણીનું લક્ષ છોડીને સ્વભાવનો નિર્ણય કરે છે ત્યારે તે નિર્ણયમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com