________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત દોહરા
૧૧૭ નિર્મળદશા પ્રગટ કરવામાં નિમિત્તનું કાંઈ કાર્ય તો નથી પરંતુ નિમિત્ત પ્રત્યેનું લક્ષ પણ હોતું નથી. નિમિત્તનું લક્ષ છોડી દઈને એકલા સ્વભાવના લક્ષે નિર્મળદશા પ્રગટે છે.
જડ વસ્તુઓમાં “ઉપયોગ નથી તેની જે જે દશા થવા યોગ્ય હોય તે સ્વયં તેમનાથી થયા કરે છે, અને તેને અનુકૂળ નિમિત્ત હોય જ છે. જડને સુખ-દુ:ખ નથી. અહીં તો જીવનું પ્રયોજન છે; જીવમાં “ઉપયોગ” છે તેથી તે એટલો પોતાના ઉપયોગને સ્વ તરફ ફેરવી શકે છે. નિમિત્ત તરફથી ઉપયોગ ખસેડીને સ્વભાવ તરફ ઉપયોગ કરવા માટે ઉપયોગ સ્વયં પોતાથી જ ફરી શકે છે. સ્વદ્રવ્ય અને અનેક પ્રકારના પરદ્રવ્યો એક સાથે હાજર છે, તેમાં પોતાના ઉપયોગને પોતે જે તરફ વાળે તે તરફ વાળી શકે છે, પર દ્રવ્યો હોવા છતાં તે બધાનું લક્ષ છોડીને ઉપયોગને સ્વદ્રવ્યમાં વાળી શકે છે. આ ન્યાયમાં ઉપયોગની સ્વતંત્રતા બતાવી અને નિમિત્તાધીન દષ્ટિને ઉડાડી દીધી.
એક બીજાનું કાંઈ કરે નહિ એવો વસ્તુનો સ્વભાવ જ છેએમ હવે કહે છે:
સર્વે વસ્તુ અસહાય જહાં તહાં નિમિત્ત હૈ કૌન;
જ્યોં જહાજ પરવાહ મેં, તિરે સહજ વિન પૌન. ૬.
અર્થ:- બધી વસ્તુઓ જ્યાં અસહાય છે તો પછી નિમિત્ત કોણ છે? જેમ પાણીના પ્રવાહમાં વહાણ પવન વગર સહજ પોતાના સ્વભાવથી તરે છે (તેમ વસ્તુઓ પરની સહાય વગર પોતાના સ્વભાવથી જ પરિણમે છે.) ૬.
આ દોહામાં વસ્તુસ્વભાવ વિશેષ સ્પષ્ટતાથી બતાવ્યો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com