________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
મૂળમાં ભૂલ સૂર્યના રથને એક જ ચક્ર હોય છે, એક ચક્રથી જ ચાલવાનો સૂર્યનો સ્વભાવ છે તેમ એક સ્વ વસ્તુથી જ કાર્ય કરવાનો વસ્તુનો સ્વભાવ છે. પોતાના ઉપયોગને સ્વભાવ તરફ વાળવામાં જીવ પોતે જ સ્વતંત્ર છે. માટે હું નિમિત્તના પક્ષવાળા ! તું કહે છે. કે “નિમિત્ત હોય તો કાર્ય થાય અને જેવું નિમિત્ત મળે તે અનુસાર ઉપાદાનની પર્યાય થાય' –એ વાત અસત્ય છે. સ્વભાવમાં પર નિમિત્તનું કાંઈ કાર્ય છે જ નહિ. જો વસ્તુની કોઈ પણ પર્યાય નિમિત્તને લીધે થતી હોય તો તે વસ્તુમાં તે પર્યાય થવાની તાકાત શું ન હતી ? અનાદિ અનંત કાળની સર્વ પર્યાયનું સામર્થ્ય તો વસ્તુમાં છે અને વસ્તુમાં જ અનાદિ અનંત પર્યાયનું સામર્થ્ય છે તો તેમાં બીજાએ શું કર્યું? અનાદિ અનંત પર્યાયોમાંથી એક પણ પર્યાય જો પરને લીધે કે પરની મુખ્યતાને લીધે થઈ એમ માને તો એમ માનનારે વસ્તુને સ્વીકારી નથી. નિમિત્તે કર્યું કઈ રીતે! શું વસ્તુમાં તે પર્યાય ન હતી અને બહારથી નિમિત્તે આપી? જે વસ્તુમાં જે તાકાત ન હોય તે બીજાથી આપી શકાય નહિ અને વસ્તુમાં જે તાકાત હોય તેને બીજાની અપેક્ષા કે મદદ ન હોય. આવો સ્વતંત્ર વસ્તુસ્વભાવ સ્વીકાર્યા વગર સ્વતંત્રદશા (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) કદાપિ પ્રગટશે નહિ.
વળી પૂર્વે દલીલમાં કહ્યું હતું કે શું માણસ બે પગ વગર ચાલી શકે? જેનામાં ચાલવાની તે જાતની શક્તિ હોય તે એક પગથી પણ ચાલી શકે છે. અંતર્દીપના મનુષ્યોને એક પગ હોય છે અને તેઓ એક પગથી જ ચાલે છે, તેમ આત્માના અંતર સ્વભાવની શક્તિથી નિર્મળદશા પ્રગટે છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com