________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OG
ઉપાદાન-નિમિત્ત સંવાદ આ વાત પૂછે છે. નિમિત્ત અને ઉપાદાનની વાત કાંઈક ખ્યાલમાં લેનાર પૂછે છે કે ઉપાદાન શું અને નિમિત્ત શું? પણ જેને કાંઈ ખબર જ ન હોય અને જાણવાની ઈચ્છા જ ન થતી હોય તે શું પૂછે?
જેણે નિમિત્ત-ઉપાદાનની વાત સાંભળી છે પણ હજી નિર્ણય કર્યો નથી એવો નિમિત્તના પક્ષવાળો પૂછે છે કે-નિમિત્ત વગર ઉપાદાન પોતાનું કામ કરવામાં બળ વગરનું છે. નિમિત્ત હોય તો ઉપાદાન કામ કરી શકે, ગુરુ હોય તો શિષ્યને જ્ઞાન થાય છે, સૂર્ય હોય તો કમળ ખીલે છે, બે પગ હોય તો માણસ ચાલી શકે છે, કાંઈ એક પગે ચાલી શકાતું નથી. જુઓ, એક પગ એકલો કામ કરી શકતો નથી પણ એક પગને બીજા પગની સહાય મળે ત્યારે ચાલવાનું કામ થાય છે. તેમ ઉપાદાન એકલું એકલું કામ કરી શકતું નથી પણ ઉપાદાન અને નિમિત્ત એમ બે ભેગા થાય તો કાર્ય થાય છે.
ઉપાદાન એટલે આત્માની શક્તિ. જીવને સમ્યગ્દર્શન પ્રગટ કરવામાં આત્માની સાચી સમજણ-સ્વભાવનું ભાન તે ઉપાદાન છે અને ગુરુનો ઉપદેશ નિમિત્ત છે. જ્યારે ઉપાદાન પોતે કાર્યરૂપ પરિણમે ત્યારે જે બાહ્ય સંયોગ હોય તે નિમિત્ત છે. આ રીતે ઉપાદન-નિમિત્તની વ્યવસ્થા છે.
અજ્ઞાનીઓની દલીલ છે કે નિમિત્તે સારું ન મળે તો ઉપાદાનનું કામ ન થાય. અને તે માટેના દષ્ટાંત પણ આપ્યા છે. દોહા પં. બનારસીદાસજીએ રચેલા છે. અજ્ઞાનીઓની વતી પોતે જ પ્રશ્ન ઉપાડીને તેનો જવાબ આપ્યો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com