________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
મૂળમાં ભૂલ
ઉપાદાન-નિમિત્ત દોહા
દરેક વસ્તુ
પોતાના
વસ્તુઓનો સ્વભાવ સ્વતંત્ર છે, સ્વતંત્ર સ્વભાવથી જ પોતાનું કાર્ય કરી રહી છે. ઉપાદાન અને નિમિત્ત એ બન્ને સ્વતંત્ર ભિન્ન વસ્તુઓ છે. ઉપાદાન પોતાનું કાર્ય કરે ત્યારે નિમિત્ત માત્ર હોય છે–એટલો જ ઉપાદાનનિમિત્તનો મેળ છે, તેને બદલે જરાપણ કર્તાકર્મ સંબંધ માનવો તે અજ્ઞાન છે. આ દોહાઓમાં ઉપાદાન નિમિત્તનું સ્વરૂપ ટૂંકામાં સુંદર રીતે બતાવ્યું છે.
પ્રથમ, બે દોહામાં શિષ્ય પ્રશ્ન પૂછે છે કેઃ
ગુરુ ઉપદેશ નિમિત્ત બિન, ઉપાદાન બલીન, જ્યોં ન૨ દૂજે પાંવ બિન, ચલવે કો આધીન. ૧.
હૌં જાને થા એક હી, ઉપાદાન સૌં કાજ, થૐ સહાઈ પૌન બિન, પાની માંહી જહાજ. ૨.
અર્થ:- જેમ માણસ બીજા પગ વગર ચાલી શકે નહિ તેમ ઉપાદાન ( આત્મા પોતે) પણ સદ્દગુરુના ઉપદેશના નિમિત્ત વગર બળ વગરનો છે એકલા ઉપાદાનથી જ કામ થાય એમ જે માને છે તે બરાબર નથી; જેમ પાણીમાં પવનની સહાય વગર વહાણ થાકી જાય છે તેમ (નિમિત્તની સહાય વગર ઉપાદાન એકલું કાર્ય કરી શકતું નથી. ) આવી અજ્ઞાનીઓની માન્યતા છે, પણ તે બરાબર નથી એમ આ દોહાઓમાં સાબિત કરવું છે.
ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ જાણવાની ઇચ્છાવાળો શિષ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com