________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૯૮
હોંશ ( રુચિ ) નથી એવા ઓડ જેવા જીવને સ્વભાવનો મહિમા સાંભળવાનો ઉલ્લાસ આવતો નથી, એટલે તેને તો ઉપાદાન શું, નિમિત્ત શું, વસ્તુની સ્વતંત્રતા કેવી છે-એ બધું બકવાદરૂપ લાગે છે, તેઓ આત્માની દરકાર વગરના ઓડ જેવા સંસારના મજૂર છે. જ્ઞાનીઓ કહે છે હૈ ભાઈ ! તારો સ્વભાવ શું, વિકાર શું અને તે વિકાર કેમ ટળે એ તને સમજાવીએ છીએ, માટે તું તારા સ્વભાવનો મહિમા લાવીને, વિવેક કરીને સમજ તો તારું સંસાર પરિભ્રમણનું દુઃખ ટળે અને તને શાંતિ થાય. આ તારા જ સુખ
માટે કહેવાય છે અને તારા જ સ્વભાવનો મહિમા બતાવાય છે માટે તું બરાબર નિર્ણય કરીને સમજ. જે જીવ જિજ્ઞાસુ છે તેને તો શ્રીગુરુની આવી વાત સાંભળતાં જરૂર સ્વભાવનો મહિમા આવે છે, અને તે બરાબર નિર્ણય કરીને જરૂર સમજે છે.
જિજ્ઞાસુ જીવોએ આ ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ સમજવા પ્રત્યે દુર્લક્ષ કરવા જેવું નથી, આમાં મહાન સિદ્ધાંત છે, બરાબર સમજીને આનો નિર્ણય કરવો જોઈએ. ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાના નિર્ણય વગર કદાપિ સમ્યગ્દર્શન થાય નહિ, અને સમ્યગ્દર્શન વગર જીવને ધર્મ થાય નહિ.
હવે છેલ્લી ભલામણ કરતાં ગ્રંથકાર કહે છે કે જે આત્માના ગુણને ઓળખે તે જ આ સંવાદનું રહસ્ય જાણે છે.
જો જાનૈ ગુણ બ્રહ્મ કે, સો જાનૈ યહ ભેદ; સાખ જિનાગમ સો મિલે, તો મત કીજયો ખેદ ૪૫.
અર્થ:- જે જીવ આત્માના ગુણને (સ્વભાવને ) જાણે તે આનો (આ સંવાદનો ) ઉપાદાન-નિમિત્તનો મર્મ જાણે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com