________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
મૂળમાં ભૂલ બન્યો છે; સમ્યગ્દષ્ટિને તે સહેલો છે અને મૂર્ખ (મિથ્યાદષ્ટિ) ને તે બકવાદરૂપ લાગશે. ૪૪.
ઉપાદાન-નિમિત્તનું સાચું સ્વરૂપ બતાવનાર અને આત્માના સહજ સ્વતંત્ર સ્વભાવનું આ વર્ણન બહુ જ સરસ છે; જે જીવો વસ્તુનું સ્વાધીન સ્વરૂપ સમજે છે તેવા સાચી દષ્ટિવાળા જીવોને તો આ સુગમ છે, તેઓ તો આવી વસ્તુની સ્વતંત્રતા સમજીને પ્રમોદ કરશે, પરંતુ જેને વસ્તુની સ્વતંત્રતાનું ભાન નથી અને આત્માને જે પરાધીન માને છે એવા મૂર્ખ અજ્ઞાનીને તો આ વાત બકવાસરૂપ લાગશે, પરંતુ તેને વસ્તુના સ્વતંત્ર સ્વભાવનો મહિમા આવશે નહિ. જ્ઞાનીઓ વસ્તુને ભિન્ન ભિન્ન સ્વભાવપણે જોનારા છે પરંતુ અજ્ઞાની સંયોગ બુદ્ધિથી જોનારો છે એટલે તે સંયોગને લીધે કાર્ય થાય એમ મિથ્યા માને છે; વસ્તુ પરથી ભિન્ન અસંયોગી છે અને તેનું કાર્ય પણ સ્વતંત્ર પોતાની શક્તિથી જ થાય છે–એ તો જ્ઞાની જ યથાર્થપણે જાણે છે. અજ્ઞાનીને તો એમ લાગશે કે આ તો કોની વાત માંડી છે? શું આત્માને કોઈ મદદ ન કરી શકે ? ... પણ ભાઈ રે! આ વાત તારા જ સ્વરૂપની છે. પોતાના સ્વરૂપના ભાન વગર અનાદિથી દુઃખમાં રખડી રહ્યો છો, તારું તે રખડવું કેમ ટળે અને સાચું સુખ પ્રગટીને મુક્તિ કેમ થાય તે બતાવાય છે. સંયોગ બુદ્ધિથી પરપદાર્થની મદદ માનીને તો તું અનાદિથી રખડી રહ્યો છો, હવે તને તારું પરથી ભિન્ન સ્વાધીન સ્વરૂપ બતાવીને તે ઊંધી માન્યતા છોડવાનો જ્ઞાનીઓ ઉપદેશ આપે છે.
જ્ઞાનીઓ તેને કાંઈ આપતા નથી, તું જ તારો તારણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com