________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
મૂળમાં ભૂલ પરિણતિ જાગૃત કરે ત્યારે થાય છે, તેમાં કોઈ કારણ નથી; એટલે કે ખરેખર તો જેમ દ્રવ્ય-ગુણ અકારણીય છે તેમ શુદ્ધ કે અશુદ્ધ પર્યાય પણ અકારણીય છે. શુદ્ધ કે અશુદ્ધ પર્યાય તે તે સમયે સ્વયં પોતે કરે છે, તેમાં પૂર્વ-પછીની દશા કે કોઈ પર દ્રવ્ય કારણ નથી. પર્યાયનું કારણ પર્યાય પોતે જ છે, પર્યાય પોતાની તાકાતથી જે સમયે જાગૃત થાય તે સમયે જાગૃત થઈ શકે છે. જે પર્યાય જેટલું સ્વભાવ તરફનું જોર આપે. (અર્થાત્ જેટલે અંશે
સમયરૂપ પરિણમે) તે પર્યાયમાં તેટલી શુદ્ધતા પ્રગટે. કારણકાર્ય એક સમયે અભેદ છે. આમાં તો પર્યાયે પર્યાયે પુરુષાર્થની સ્વતંત્રતા બતાવી છે. પહેલી પર્યાય મિથ્યાત્વરૂપ હોવા છતાં બીજા સમયે સ્વરૂપનું ભાન કરી સમ્યકત્વરૂપ પર્યાય પ્રગટી શકે છે, ત્યાં કોઈ પૂછે કે સમ્યકત્વ પહેલી પર્યાયમાં નહોતું અને બીજી પર્યાયમાં ક્યાંથી આવ્યું? તેનો ઉત્તર એ છે કે-તે સમયની પર્યાયનું સ્વતંત્ર સામર્થ્ય પ્રગટવાથી સમ્યકત્વ થયું છે. પૂર્વની પર્યાય તે નવી પર્યાયની કર્તા નથી, પરંતુ નવી પ્રગટતી અવસ્થા પોતે જ પોતાના પુરુષાર્થની યોગ્યતાથી સમ્યકત્વરૂપ થઈ છે. જે સમયે પુરુષાર્થ કરે તે સમયે સમ્યગ્દર્શન થાય છે તેમાં કોઈ કારણ નથી. પર્યાયનો પુરુષાર્થ પોતે જ સમ્યગ્દર્શનનું કારણ છે, અને તે પર્યાય દ્રવ્યમાંથી પ્રગટતી હોવાથી અભેદવિવક્ષાએ દ્રવ્યસ્વભાવ જ સમ્યગ્દર્શનનું કારણ છે.
| ઉપાદાનનો મહિમા ભૈયા મહિમા બ્રહ્મકી, કૈસે બરની જાય? વચન અગોચર વસ્તુ હૈ, કહિબો વચન બનાય. ૪૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com