________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૯૩
છે, દ્રવ્યગુણ ત્રિકાળી છે તેમાં નિમિત્ત ન હોય. ત્રિાઝી શક્ત્તિ તે उपादान छे अने ते त्रिकाळी शक्तिनी वर्तमान पर्याय ते उपादान વ્હારળ છે. ઉપાદાન કારણ પોતાની પર્યાયમાં કેવું કાર્ય કરે છે તથા તે વખતે કેવા પ્રકારનો પર સંયોગ હોય છે તે ઓળખાવવા પર વસ્તુને નિમિત્ત કારણ કહેવાય છે. ૫૨ વસ્તુને ‘નિમિત્ત’ કહીને તેનું જ્ઞાન કરાવ્યું છે, કેમ કે જ્ઞાનનું સામર્થ્ય સ્વપરને જાણવાનું છે; પરંતુ પરદ્રવ્યનું કાંઈ પણ જોર બતાવવા તેને નિમિત્ત કહ્યું નથી. ‘જીવે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું' એમ કહેવાય છે ત્યાં ખરેખર એમ બતાવવાનો આશય છે કે જીવે પોતાની પર્યાયમાં જ્ઞાનની હીનતા કરી. પરંતુ ‘જીવ જડ ૫૨માણુઓનો કર્તા છે’ એમ બતાવવાનો આશય નથી.
પ્રશ્ન:- ઉપાદાન તો બધા જીવોને ત્રિકાળ છે એમ આ દોહામાં બતાવ્યું છે; અને એકલા ઉપાદાનની શક્તિથી જ કાર્ય થાય છે એમ આ સંવાદમાં કહેતા આવ્યા છો; જો એકલા ઉપાદાનથી જ કાર્ય થતું હોય તો, અનંતકાળથી ઉપાદાન હોવા છતાં પૂર્વે કદી શુદ્ધ કાર્ય પ્રગટ ન કર્યું અને અત્યારે જ પ્રગટ કર્યું તેનું શું કારણ ?
ઉત્ત૨:- ઉપાદાન જે ત્રિકાળ છે તે તો દ્રવ્યરૂપ છે, તે બધા જીવોને છે, પરંતુ કાર્ય તો પર્યાયમાં થાય છે. જ્યારે જે જીવે પોતાની ઉપાદાનશક્તિની સંભાળ કરી ત્યારે તે જીવને શુદ્ધતા પ્રગટી. દ્રવ્યની શક્તિ ત્રિકાળ છે પણ જ્યારે પોતે પરિગતિ નામૃત હરી ત્યારે તે શક્તિ પર્યાયરૂપ વ્ય થડું. જ્યારે પોતે સ્વ તરફની રુચિ અને વલણ વડે પોતાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com