________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૯૨
જગત નિમિત્ત છે અથવા તો સ્વમાં નાસ્તિપણે આખું જગત નિમિત્ત છે. કોઈ પણ ઠેકાણે એકલું ઉપાદાન ન જ હોય, કેમકે જ્ઞાન સ્વપ૨ને જાણવાના સામર્થ્યવાળું છે તેથી તે ઉપાદાન અને નિમિત્ત બન્નેને જાણે છે; નો ૩પાવાન નિમિત્ત બંનેને નાળે નહિ तो ज्ञान खोटुं छे। छतां ए खास ध्यानमा राखवुं के उपादान निमित्त बनें स्वतंत्र पदार्थो छे एक बीजानुं कंइ ज करता नथी. ઉપાદાન નિમિત્ત બન્ને વસ્તુઓ હયાતીરૂપ છે. જે જીવ પોતાની ઉપાદાનશક્તિને સંભાળે છે તેને જ સમ્યગ્દર્શનાદિ ગુણો પ્રગટીને મોક્ષ થાય છે; પરંતુ જે જીવ ઉપાદાનને ભૂલીને નિમિત્ત તરફ લક્ષ કરે છે તે, પોતાની શક્તિને ભૂલીને પરમાં ભીખ માગનાર ચોરાશીનો ભિખારી છે, પરલક્ષે તે ભિખારાપણું ટળે નહિ અને જીવ સુખી થઈ શકે નહિ. જો પોતાના સ્વભાવની સ્વાધીનતાને પ્રતીતમાં લ્યે તો સર્વ પર દ્રવ્યોની ઓશિયાળ ટળી જાય અને સ્વભાવનો સ્વાધીન આનંદ પ્રગટે.
જ્યારે સ્વલક્ષ કરીને ઉપાદાનશક્તિની સંભાળ કરી ત્યારે તે શક્તિ પ્રગટી એટલે સુખ થયું. ઉપાદાનશક્તિ તો ત્રિકાળ છે તે મુક્તિનું કારણ નથી પરંતુ ઉપાદાનશક્તિની સંભાળ તે મુક્તિનું કારણ છે. ઉપાદાનશક્તિની સંભાળ તે જ દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. પહેલાં ઉપાદાનસ્વભાવની શ્રદ્ધા કરી કે હું સ્વયં અનંત ગુણ શક્તિનો પિંડ છું, પરથી છૂટો છું, મારે ૫૨માંથી કાંઈ જ લેવું નથી પણ બધું મારા સ્વભાવમાંથી જ પ્રગટે છે. આવી પ્રતીત અને જ્ઞાન કરીને પછી તે સ્વભાવમાં સ્થિરતા કરવી તે ઉપાદાન શક્તિની સંભાળ છે અને તે જ મોક્ષનું કારણ છે.
ઉપાદાનકારણ અને નિમિત્તકા૨ણ એ બન્ને પર્યાયરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com