________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૯૧ જાઓ આમાં કહ્યું છે કે ઉપાદાન પોતાના બળનો પ્રકાશ કરીને સુખ પામ્યું છે. પોતામાં જે શક્તિ હતી તેની ઓળખાણ દ્વારા તે બળને પ્રગટ કરીને જ સુખ પામ્યું છે, પરંતુ કોઈ નિમિત્તની મદદથી સુખ પામ્યું નથી.
હવે તત્ત્વ સ્વરૂપ કહે છે, તેમાં બહુ સરસ જાય છેઉપાદાન અરુ નિમિત્ત યે, સબ જીવન પૈ વીર;
જો નિશક્તિ સંભારહીં સો પહુચે ભવતીર. ૪૨.
અર્થ:- ઉપાદાન અને નિમિત્ત એ બધા જીવોને છે, પણ જે વીર પોતાની ઉપાદાનશક્તિને સંભાળે છે તે ભવનો પાર માને છે.
૪૨.
બધા આત્માઓ ભગવાન છે અને અનંતગુણવાળા છે, બધા આત્માની ઉપાવાનની શક્તિ સરખી છે અને બધા આત્માને બહારના નિમિત્ત પણ છે; આ રીતે ઉપાદાન અને નિમિત્ત એ બન્ને ત્રિકાળ બધા આત્માને છે. એવો કોઈ આત્મા નથી કે જેનામાં ઉપાદાન સામર્થ્યની પૂર્ણતા ન હોય, તેમજ એવો કોઈ આત્મા નથી કે જેને નિમિત્ત નથી. જેવું કાર્ય જીવ પોતે કરે તે વખતે તેને અનુકૂળ નિમિત્ત હોય જ છે, નિમિત્ત હોય છે ખરું, પણ ઉપાદાનના કાર્યમાં તે કાંઈ પણ કરતું નથી. ઉપાદાન અને નિમિત્ત બને અનાદિ અનંત છે. જે પોતાના ઉપાદાનની જાગૃતિ કરીને ધર્મ સમજે તેને સત્ નિમિત્ત હોય છે અને જે જીવ ધર્મ ના સમજે તેને કર્મ વગેરે નિમિત્ત કહેવાય છે, સિદ્ધને પણ પરિણમન વગેરેમાં કાળ, આકાશ વગેરેનું નિમિત્ત છે, અને જ્ઞાનમાં શેય તરીકે આખું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com