________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯)
મૂળમાં ભૂલ અજ્ઞાનદશા વખતે જીવ નિમિત્તનું જોર માની રહ્યો હતો, અને હવે પોતાના સ્વભાવની યથાર્થ પ્રતીતિ થતાં તેણે ઉપાદાન નિમિત્ત બન્નેને સ્વતંત્ર જાણી લીધા અને પોતાની સ્વતંત્ર શક્તિને સંભાળીને સ્વયં સિદ્ધદશા પ્રગટ કરી. “નિમિત્ત હારી ગયું” એનો અર્થ એ છે કે અજ્ઞાનદશામાં નિમિત્ત. ઉપર જ દષ્ટિ હતી; જ્ઞાનદશા થતાં અજ્ઞાનનો નાશ થયો અને નિમિત્તદષ્ટિ ટળી ગઈ, તેથી “નિમિત્ત હાર્યું' એમ કહ્યું છે.
આ રીતે નિમિત્તાધીન દષ્ટિનો નાશ થતાં ઉપાદાનને પોતામાં શું લાભ થયો તે હવે કહે છે
ઉપાદાન જીત્યો તાં, નિજબલ કર પરકાસ; સુખ અનંત ધ્રુવ ભોગવે, અંત ન બન્યો તાસ. ૪૧.
અર્થ - આ રીતે પોતાના બળનો પ્રકાશ કરીને ઉપાદાન જીત્યું, (તે ઉપાદાન હવે) ધ્રુવપણે અનંત સુખ ભોગવે છે. તેનો અંત કહ્યો નથી. ૪૧.
આત્માનો સ્વભાવ શુદ્ધ, ધ્રુવ, અવિનાશી છે તે સ્વભાવના જોરે ઉપાદાને પોતાના કેવળજ્ઞાનનો પ્રકાશ કર્યો અને હવે તે સ્વાધીનપણે અનંત ધ્રુવ સુખ ભોગવે છે. પહેલા નિમિત્તાધીન દષ્ટિથી પરાધીનપણે (પર લક્ષ કરીને) દુઃખ ભોગવતો, હવે સ્વભાવને ઓળખીને ઉપાદાન દષ્ટિથી સ્વાધીનપણે સિદ્ધદશામાં સુખનો અનુભવ અનંતકાળ કર્યા કરે છે; સિદ્ધદશા થયા પછી સમયે સમયે સ્વભાવમાંથી જ આનંદનો ભોગવટો થયા જ કરે છે. પોતાના સુખ માટે જીવને શરીર પૈસા વગેરે પરદ્રવ્યની જરૂર નથી, કેમકે તે કંઈ ન હોવા છતાં સિદ્ધ ભગવાન સ્વાધીનપણે સંપૂર્ણ સુખી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com