________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
८७
પોતાના ફેરવવાથી પોતાના ભાવ ફર્યા છે પરંતુ નિમિત્તને લીધે કોઈના ભાવ ફર્યા નથી. ઉપાદાનના કામમાં નિમિત્તનું કંઈ જઅંશમાત્ર પણ બળ નથી. ઉપાદાનના કામમાં તો નિમિત્તની નાસ્તિ છે. ઉપાદાનની બહાર જ તે લોટે છે, પરંતુ ઉપાદાનમાં તે પ્રવેશતું નથી તેમ જ દૂરથી પણ તે કાંઈ જ અસ૨, મદદ કે પ્રેરણા આપતું નથી. કોઈ એમ કહે કે “નિમિત્ત ઉપાદાનને કાંઈ કરતું નથી પરંતુ જેવું નિમિત્ત આવે -તેને અનુસાર ઉપાદાન સ્વયં પરિણમે છે”–તો એ વાત પણ તદ્દન મિથ્યા અને વસ્તુને પરાધીન બતાવનારી છે. નિમિત્ત હોય તે અનુસાર ઉપાદાન પરિણમતું નથી પરંતુ ઉપાદાન પોતે પોતે પોતાની તાકાતથી સ્વાધીનપણે પરિણમે છે.
સત્ સમાગમના નિમિત્તનો સંયોગ થયો માટે તમારા ભાવ સુધર્યા-એમ નથી. સત્ સમાગમનું નિમિત્ત હોવા છતાં કોઈ જીવને પોતાના ભાવમાં સાચી વાત ન બેસે અને ઊલટો સત્નો વિરોધ કરીને દુર્ગતિ જાય-કેમકે ઉપાદાનના ભાવ સ્વતંત્ર છે.
સત્ નિમિત્તનો સંગ હોવા છતાં ઉપાદાન પોતે સ્વયં જાગૃતિ ન કરે તો સાચું સમજાય નહિ અને જે સાચું સમજે છે તે સૌ પોતાના ઉપાદાનની જાગૃતિ કરીને જ સમજે છે. શ્રી ભગવાનના સમવસરણમાં કરોડો જીવો વાણી સાંભળતાં હોય, ત્યાં વાણી તો બધાને માટે સરખી જ છે છતાં જે જીવો પોતાના ઉપાદાનની જાગૃતિ કરી જેટલું સમજ્યા તે જીવોને તેટલું નિમિત્ત કહેવાણું; કોઈ બાર અંગનું જ્ઞાન કરે તો તેને બાર અંગ માટે ભગવાનની વાણીનું નિમિત્ત કહેવાય,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com